Rajput Boycott BJP : રાજકોટમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો 350થી વધુ ક્ષત્રિય આગેવાનોએ ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના શપથ લીધા છે. તો બીજી તરફ પરશોત્તમ રૂપાલાના વિરોધની આગ હવે અનશનના માર્ગે નીકળી છે. ટિકિટ રદ કરવાની માગ સાથે રાજકોટના સમાજના પદ્મિનીબા વાળા ઉપવાસ પર બેઠા છે.  માંગ નહીં સંતોષાય તો જૌહર કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે રજવાડાનાં સમયનાં દાંતા સ્ટેટનાં રાજવી પરિવારનું ફરી એક નિવેદન પુરુષોત્તમ રૂપાલાની પડખે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂલને રાજકીય મુદ્દો ન બનાવો
ગુજરાત ભાજપના જ નહિ પણ રાષ્ટ્રીય કદવાર નેતા પરસોત્તમ રૂપાલ એ ક્ષત્રિય સમાજની નારીઓને લઇ કરાયેલી ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ વિરોધ માત્ર ક્ષત્રિય સમાજના લોકો જ નહિ પણ, આ બાબતને ગુજરાતના રાજવી પરિવાર પણ વખોડી રહ્યાં છે. આવામાં દાંતા સ્ટેજના રાજવી રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. રાજવી પરિવારના એચએચ રિધિરાજ સિંહે પરસોત્તમ રૂપાલાથી થયેલી ભૂલને હવે રાજકીય મુદ્દો ન બને તેવી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.


રૂપાલાજી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ... રૂપાલાના સમર્થનમાં આવ્યો પાટીદાર સમાજ


મારા રાજપૂત ભાઈઓ કોઈ ના રાજકીય હાથો ના બને
દાંતા સ્ટેટના રાજવી પરિવારના ગાદીપતિ રિધિરાજ સિંહે જણાવ્યું હતું કે, આ દેશ ઉપર વર્ષો સુધી અંગ્રેજોએ શાસન કર્યું છે ને રજવાડાઓએ પણ પોતાની રાજાશાહી ચલાવી છે. જો રજવાડાનાં સમયમાં અક્કડ વલણ અપનાવ્યું હોત તો ભારતમાં આજે લોકશાહી નાં હોત. ત્યારે એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલની લાગણીને માન આપી તમામ રજવાડાઓ સરકારને સોંપીને લોકશાહીની સ્થપાના કરી હતી. ત્યારે આજે આ ટિપ્પણીને લઇ લોકશાહી લાંછન રૂપ ન બને, તેમજ કેટલાક રાજકીય પક્ષો પોતાનો મનસૂબો પર ન પાડે તેવી તકેદારી પણ રાજપૂત સમાજ રાખે તેવી અપીલ કરી છે. ટિકિટ આપવી કે નહિ આપવી તે મોભી મંડળનો નિર્ણય છે અને તે નિર્ણય તેઓ જ લઇ શકશે, પણ મારા રાજપૂત ભાઈઓ કોઈ ના રાજકીય હાથો ના બને. આ ઘટનાની અસર હવે રાજ્ય બહાર પણ થવા જઇ રહી છે ત્યારે હવે સુખદ અંત આવવો જોઈએ.


 


ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ આવ્યો, બે જિલ્લામાં વાદળો સાથે તૂટી પડ્યો વરસાદ