મૌલિક ધામેચા/અમદાવાદ: ઘાટલોડિયામાં 65 વર્ષના વૃદ્ધએ નવમા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. લાયબ્રેરીના માલિક દ્વારા અપમાનિત કરવામાં આવતા વૃદ્ધએ અંતિમ પગલું ભર્યું હતું. જોકે પોલીસે વૃદ્ધના આપઘાત કેસમાં આરોપી વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધી આરોપીનીધરપકડ પણ કરી લીધી છે. પણ એવું તો શું બન્યું કે વૃદ્ધએ મોતને વહાલું કર્યું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 5 દિવસ છે ખુબ જ ભારે! જાણો હવામાન વિભાગે ચોમાસા અંગે શું કરી મોટી આગાહી!


ઘાટલોડિયામાં સરદાર પટેલ આવાસના 9 માળેથી 65 વર્ષના રજનીકાંત બ્રહ્મભટ્ટએ પડતું મૂકીને આપઘાત કર્યો.આપઘાત કરતા પહેલા રજનીકાંત બ્રહ્મભટ્ટએ લખેલી 2 પાનાની પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી. એક સ્યુસાઇડ નોટ ઘરમાં મૂકી હતી જ્યારે બીજી તેમની પાસેથી મળી આવી હતી. જેમાં શુભ રીડિંગ લાયબ્રેરીના માલિક ભરત બારોટ દ્વારા વિદ્યાર્થીઓની સામે રજનીકાંતભાઈને અપમાનિત કરીને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઘાટલોડિયા પોલીસે મૃતકના પત્ની ચંદ્રિકાબેનની ફરિયાદ લઈને ભરત બારોટ વિરુદ્ધ દૂષપેરણાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી. પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરા ન્યાયની માંગ કરી રહ્યા છે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી:બસમાં CM, સાયકલ પર DGP અને ગુજરાતના IAS કરી રહ્યાં છે રિવરરાફ્ટિગ


મૃતક રજનીકાંત બ્રહ્મભટ્ટ છેલ્લા 3 વર્ષથી શાસ્ત્રીનગરમાં શુભ રીડિંગ લાયબ્રેરીમાં નોકરી કરતા હતા. 6 મહિના પહેલા લાયબ્રેરીના માલિકે કામ બાબતે ઠપકો આપીને કાઢી મૂક્યા હતા..અને ત્યાર બાદ 1 મેં ના રોજ રજનીકાંત બ્રહ્મભટ્ટ ફરી લાયબ્રેરીમાં નોકરીએ જોડાયા હતા. આ દરમ્યાન 11 મેના રોજ નાના દીકરા શ્રીકાંત કેનેડા જઈ રહ્યા હતા, ત્યારે મૃતક અને તેમની પત્ની સાથે દીકરાના ઘરે રોકાયા હતા. અને 14 મે ના રોજ નોકરી જવા નીકળ્યા અને નવમા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો.સ્યુસાઇડ નોટમાં લાયબ્રેરીના માલિક ભરત બારોટ દ્વારા માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો હોવાથી પોલીસે ભરત બારોટની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.ભરત બારોટ 12 વર્ષથી લાયબ્રેરી ચલાવતો હોવાનું ખુલ્યું છે. 


એક પ્રોગ્રામ માટે કેટલા રૂપિયા લે છે બાબા બાગેશ્વર. બાબાએ જણાવ્યો કાર્યક્રમનો ખર્ચ


વૃદ્ધના આપઘાત કેસમાં પોલીસે સ્યુસાઇડ નોટ FSL માં મોકલીને વધુ તપાસ શરૂ કરી. પણ આ આપઘાત પાછળ ફક્ત અપમાનિત કરવાનું કારણ છે કે કોઈ અન્ય કારણો પણ છે. જે મુદ્દે પોલીસે પરિવારના સભ્યો અને લાયબ્રેરીમાં આવતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે. 


'જો તું ચરિત્રવાન હોય તો પતિના મોત બાદ કેમ સતી થઈ નહિ', યુવતીએ નદીમાં ભૂસકો માર્યો