ચેતન પટેલ/સુરત :આજથી વતન જવા માગતા સુરતના રત્નકલાકારોની ઓનલાઇન નોંધણી શરૂ થવાની છે, ત્યારે સુરત (surat) માં લકઝરી બસ એસોસિએશને પોતાના ભાવ જાહેર કર્યા છે. જેના માટે આજે ઓનલાઇન અરજી કરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તે જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ બસોને આવતીકાલથી રવાના કરવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જવા માગતા રત્નકલાકારો માટે સરકારે ગઇકાલે આ નિર્ણય કર્યો હતો, જેની શરૂઆત આજથી થશે. સૌરાષ્ટ્ર જવા માટે ભાવ બહાર પાડવામાં આવ્યા છે. સુરત લકઝરી બસ એસોસિયેશન દ્વારા વસૂલવાનો ચાર્જ જાહેર કરાયો છે, જેનાથી એક રૂપિયો પણ વધુ રૂપિયો વસૂલી શકાશે નહિ. કિલોમીટર પ્રમાણે ભાવ જાહેર કર્યા છે.


પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ...


  • 400 કિલોમીટર માટે 1000 રૂપિયા 

  • 500 કિલોમીટર માટે 1200 રૂપિયા 

  • 500 કિમી ઉપર 1500 રૂપિયા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાંથી અન્ય રાજ્યોમાં જવા માંગતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરતથી સૌરાષ્ટ્ર વતનમાં જવા માંગતા લોકો માટે ગુજરાત એસ.ટી વિભાગની બસો ફાળવવા મંજૂરી અપાઈ છે. એક બસમાં 30 લોકો મુસાફરી કરી શકાશે તેવુ જણાવાયું છે. તેમજ દિવાળી પર્વમાં જે ભાડું ચૂકવ્યુ હોઈ એ જ પ્રમાણે ભાડું લેવામાં આવશે તેવું કહેવાયું છે. 


અમદાવાદના કમિશનરને અચાનક જ ક્વોરેન્ટાઈન કરવાનુ કારણ શું? કોંગ્રેસના ધારાસભ્યએ ઉઠાવ્યા આગઝરતા સવાલો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર