Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પ્રચાર કરવાનો સમય ખૂબ જ ઓછો છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ત્યારે પીએમ મોદીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં પ્રચાર કરશે એટલે કે પીએમ મોદી ભાજપના પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી 25 સભાઓ યોજશે. જેમાં પીએમ મોદીનો અમદાવાદ, સુરત સહીતના શહેરી વિસ્તારમાં રોડ શો પણ યોજશે. ભાજપના ચૂંટણી પ્રચારનું પીએમ મોદી નેતૃત્વ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદી ગુજરાતમાં લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.


પીએમ મોદી માત્ર ગણતરીના દિવસોમાં 150 બેઠક પર પ્રચાર કરે એવું આયોજન ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. તો આ તરફ ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube