Ahmedabad : ગુજરાતના સૌથી મોટા સમાચાર એ છે કે પીએમ મોદીના માતા હીરાબાને યુએન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જેમની તબિયત નાદુરસ્ત છે. આ અંગે સત્તાવાર વિગતો બહાર આવી નથી. પીએમ મોદીના માતા 100 વર્ષના છે. મોદી ગુજરાતમાં આવે ત્યારે માતાને મળવા માટે અચૂક જાય છે. પીએમ મોદી પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. જો કે તેમની તબિયત સારી અને સુધારા પર હોવાનું સામે આવ્યું છે. થોડાંક સમયમાં જ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરશે. હોસ્પિટલ તરફથી પણ બુલેટિન બહાર પડાશે. સવારે સામાન્ય બલ્ડપ્રેશરની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને પણ અકસ્માત નડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ધીમેધીમે ભાજપના નેતાઓ અને અધિકારીઓ યુએન મહેતા હોસ્પિટલમાં પહોંચી રહ્યાં છે. કે કૈલાસનાથન બાદ દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન હોસ્પિટલમાં પહોંચ્યા છે. એવી પણ ચર્ચા છેકે બપોરે પીએમ મોદી અમદાવાદ આવી શકે છે.


સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની માઠી દશા બેઠી, કદાવર નેતાએ રાજીનામુ ધર્યું


કોરોનાએ ઉથલો માર્યો : સુરતમાં દૂબઈથી અને ભાવનગરમાં ચીનથી આવેલો પરિવાર કોરોના પોઝિટિવ


ખેડૂતોએ અંબાણી કરતા પણ ગજબનું દિમાગ દોડાવ્યું, ઓર્ગેનિક ખેતીથી 95% ખર્ચ ઘટાડ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube