અમદાવાદ : ગુજરાત પરથી ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યુ છે.  જો કે તેની અસર અગામી પાંચ દિવસ સુધી જોવા મળશે. હાલ ક્યાર વાવાઝોડુ ઓમાન અને યમન તરફ ફંટાઇ ચુક્યું છે. જો કે તેના 800 કિલોમીટરના વ્યાપને કારણે ગુજરાતમાં અગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં અસર વર્તાશે  અગામી પાંચ દિવસ ગુજરાતમાં  વાદળ છાયું વાતાવરણ રહેશે  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે જામનગર સહિતનાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ છેલ્લા 5 દિવસથી સર્જાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગરપુરની કેનાલમાંથી મહિલા પુરૂષનાં મૃતદેહ મળી આવતા ચકચાર


આજે જામનગરનાં વાતાવરણમાં સવારે તડકો નિકળ્યા બાદ અચાનક પલટો આવ્યો હતો. સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસવા લાગ્યો હતો. જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં પણ અસર વર્તાઇ હતી. આ ઉપરાતં જામનગરના જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાથી ખેડૂતોને નુકસાન ખુબ જ વધતું જાય છે. આ ઉપરાંત જામજોધપુરમાં પણ છુટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. 


સૌરાષ્ટ્ર આ વિસ્તારોમાં વરસાદની આગાહી, એક તોફાન ફંટાયુ ત્યાં બીજાનું સંકટ


વડોદરાના પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 5નાં મોત નિપજ્યા


સુરત શહેરનાં કેટલાક વિસ્તારોમાં પણ વત્તોઓછા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે. અમરોલી-કતારગામમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે. જો કે ધીમી ધારે પડી રહેલા વાતાવરણમાં કારણે એકંદરે વાતાવરણમાં રાહત પ્રસરી છે. પરંતુ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. જો કે આ બે વિસ્તારોને બાદ કરતા અન્ય કોઇ પણ વિસ્તારમાં વરસાદ નથી. 


ભાઇબજીના દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન માટે ઉમટ્યા ભક્તો


મોરબી જિલ્લામાં પણ ક્યાર વાવાઝોડાની અસરના પગલે વરસાદના ઝાપટા પડ્યા હતા. ટંકારા અને વાંકાનેર તાલુકામાં કાળા ડિબાંગ આકાશ ગોરંભાયા બાદ વરસાદ ચાલુ થયો હતો. આકાશમાં ગોરંભાયેલા વાદળાને કારણ હજી પણ વરસાદ વધે તેવી શક્યતા છે.


કચ્છ :  ગાંધીધામમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું હતું. અરબી સમુદ્રમાં ઉદભવેલા ડીપ્રેશનની અસરને પગલે કચ્છમાં ભાઇબીજ પણ વરસાદી બની છે. વરસાદને કારણે માર્ગો ભીના થયા છે. જો કે આખા દિવસના ઉકળાટ બાદ મોડી સાંજે વરસાદ તુટી પડ્યો હતો.