ગાંધીનગર : સીએમ ડૅશબોર્ડના માધ્યમથી સૂચના મળતા દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઇ વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી હતી. છેવાડાના માનવીની પણ રોજબરોજ દરકાર કરતા રાજયના સંવેદનવીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી :  સી.એમ.ડેશબોર્ડના માધ્યમ દ્વારા ગરીબ પરિવારોની રોજીદી તકલીફોના સમાધાન માટે સ્વયં ચિંતા કરે છે. અણીના સમયે મળેલી મદદનો ઉ૫કાર જીવનપર્યંત ભૂલાતો નથી. એમાંય જો તમને કોઇ શારીરિક તકલીફ થઇ હોય અને તેવા સમયે બનેલા મદદગાર દેવદૂતસમાન લાગે છે. આવું જ કંઇક દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન પપ્પુભાઇ નિનામા સાથે બન્યું છે. તેમના માટે સીએમ ડેશબોર્ડ હમદર્દ બન્યું અને આ ઘટના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારની સંવેદનશીલતાની પરિચાયક બની. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા : એકલી રહેતી 25 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી, સ્યૂસાઈડ નોટ પણ ન છોડી...


રાજયના ગરીબ-મધ્યમ વર્ગેના નાગરિકોની રોજીંદી તકલીફોના નિરાકરણ માટે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રોજબરોજ ચિંતા કરીને તેનુ નિરાકરણ કરવા માટે તેમના નિવાસસ્થાને સી.એમ.ડેશબોર્ડ કાર્યરત કર્યુ છે. જેનું તેઓ સતત મોનીટરીગ કરીને દિનદુખીયાના આંસુ લૂછવાનુ માનવીય કામ કરી રહ્યા છે. ગરીબ પરિવારો માટે ડેશબોર્ડ સાચા અર્થમા હમદર્દ પુરવાર થઈ રહ્યુ છે. મૂળ વાત એમ છે કે, થોડા દિવસો પૂર્વે શીલાબેન તેમના પતિ સાથે મુસાફરી કરતા હતા. સાતમો માસ જતો હતો પણ, આ સામાજિક પ્રવાસ ટાળી શકાય એવો નહોતો. એટલે નાછૂટકે જવું પડ્યું. હવે થયું એવું કે આ પ્રવાસના કારણે તેમને દુઃખાવો ઉપડ્યો. તેમને તાત્કાલીક દવાખાને ખસેડવા પડ્યા. ડોક્ટરે તેમની સ્થિતિને ધ્યાને રાખી દવા તો આપી પણ, ગર્ભાવસ્થા હોવાથી વધુ તપાસ કરવા માટે સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી. સોનોગ્રાફી કરવી ખૂબ જ જરૂરી હતી. 


Exclusive માહિતી : ગુનાહિત ઈતિહાસ ધરાવે છે આગ લાગનાર ગોડાઉનનો માલિક બુટા ભરવાડ


શીલાબેનના પતિ છૂટક શ્રમકાર્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોજનું કમાઇ રોજનું જમવાનું એવી સ્થિતિ. આવા સંજોગોમાં શીલાબેનને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી આર્થિક રીતે પોસાય એમ નહોતું. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે ગયા તો ત્યાં બે દિવસ પછી વારો આવે એમ હતો. એટલે શીલાબેનને રડમસ ચહેરે ઘરે પરત આવવું પડ્યું. 


અમદાવાદ : ગોડાઉનની આગમા હોમાયેલા 8 કામદારોના મૃતદેહોને પરિવારે ન સ્વીકાર્યા, સરકાર પાસે કરી માંગ


હવે થયું એવું કે, શીલાબેનને સોનોગ્રાફી કરાવવાની વાત સીએમ ડેશબોર્ડના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કાર્યાલયના ધ્યાને આવી. આરોગ્ય સેવાને સુદ્રઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આવી બાબત તુરંત સંલગ્ન તંત્રને ધ્યાને લાવવા સૂચના આપી છે. એથી ઝાયડ્સ હોસ્પિટલમાં ગાંધીનગરથી ફોન આવ્યો અને શીલાબેનની તુરંત સોનોગ્રાફી કરવાની સૂચના આપવામાં આવી. શીલાબેનને હોસ્પિટલે બોલાવવામાં આવ્યા અને તેની સોનોગ્રાફી કરાવવામાં આવી. સીએમ ડેશબોર્ડ તેમના માટે હમદર્દ બન્યું. સાથે, સરકારના ખર્ચે સારવાર પણ કરાવવામાં આવી. જેમાં આયર્નની ગોળી સહિતની દવાઓ પણ આપવામાં આવી. શીલાબેન કહે છે કે, તેમને સપને પણ  ખ્યાલ નહોતો કે અમારા પર ગાંધીનગરથી ફોન આવશે અને તુરંત સોનોગ્રાફી કરાવવામાં આવશે. મારી આવી દરકાર રાખવા બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube