Loksabha Election 204 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વિવાદ અટકવાનું નામ લઈ રહ્યું નથી. હવે એવા નેતાઓ એક એવા સ્ટેજ પર ભેગા થઈ રહયાં છે. જેઓએ વર્ષો સુધી એકબીજાનો વિરોધ કર્યો હોય પણ એકબીજાની પાડી દેવા ખેલ રચ્યા હોય, બંને એકબીજાની પોલ જાણતા હોય પણ હવે એક જ સ્ટેજથી એકબીજાનો હાથ પકડીને એક જ મંચ પરથી મતદારોએ અપીલ કરી રહ્યાં છે. આ હવે સામાન્ય થઈ ગયું છે. ગુજરાતમાં ઓપરેશન લોટસ બાદ ભાજપ કોંગ્રેસ યુક્ત બની રહ્યું છે. જેના લાભ અને ગેરલાભ બંને લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપના ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ એક સમયના કોંગ્રેસી મહેન્દ્રસિંહ બારૈયાની શિક્ષક પત્નીને ટિકિટ અપાતાં વિરોધ વધ્યો છે. ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી હોવાથી વિવાદો બહાર આવી રહ્યાં નથી પણ અરવલ્લી જિલ્લાના ભાજપના ગ્રૂપોમાં પ્રફૂલ પટેલ ટાર્ગેટ બની રહ્યાં છે. દીવ-દમણ અને લક્ષદ્રીપના પ્રભારી એવા પ્રફૂલ પટેલના કારણે ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયાના બુમરાણ મચી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ


ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચ્યા બાદ ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે . જેને પગલે ભીખાજીના સમર્થકોમાં રોષ ફેલાયો છે. નવા ઉમેદવારની જાહેરાત પછી જ સોશિયલ મીડિયામાં વોર શરૂ થઈ છે. ભીખાજીની ટિકિટ કાપવામાં પ્રફુલ પટેલની  મુખ્ય ભૂમિકા હોવાનું ભીખાજીના સમર્થકો માની રહ્યા છે. જેથી પ્રફુલ પટેલ સામે સોશિયલ મીડિયામાં વિરોધ શરૂ થયો છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહના પત્નીને ટિકિટ આપી દેતા હવે વિવાદ સપાટી પર આવ્યો છે.


આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ


જો ભાજપમાંથી ટિકિટ લેવી હોય તો શોર્ટ કટ રસ્તો એ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવું. આ લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. તો સોશિયલ મીડિયામાં એક ઓડિયો પણ વાયરલ થઈ છે. ભીખાજીએ મીડિયા સામે કબુલાત કરી હતી કે, તેમને પોતાની ઇચ્છાથી નહીં પરંતુ ભાજપ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર રોકવા પક્ષમાંથી સૂચના આવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી. ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી દુઃખી છું. સ્વચ્છ પ્રતિભા, વિસ્તારમાં કરેલી કામગીરી જોઈ પક્ષે મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક લોકોની હેરાનગતિથી આ નિર્ણય લેવાયો હોવાનું તારણ આપ્યું હતું. તેમને કહ્યું કે, મારો કોઇ ગૉડફાધર ના હોવા છતા મેં રાજકીય ઓળખ બનાવી છે. 


વટ છે ગુજરાતનો! યુનેસ્કોએ ગરબાને નવી ઓળખ આપી, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર


  • સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર સામે કાર્યકરોનો રોષ

  • સોશિયલ મીડિયામાં ભાજપના કાર્યકરનો ઓડિયો વાયરલ

  • કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો રોષ

  • કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ મળતાં ભારે રોષ

  • નવા ઉમેદવારોની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વોર શરૂ


સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર સામે ભાજપના જ કાર્યકરો કોઈના કોઈ માધ્યમથી વિરોધ નોંધાવી રહ્યા છે, પહેલાં ભાજપે અરવલ્લી જિલ્લાના ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી બાદ તેમનો વિરોધ થતા ભાજપે ટિકિટ પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી, બાદમાં ભાજપે મહિલાને ટિકિટ આપી છે, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહના ધર્મપત્ની શોભના બાને ટિકિટ અપાતાં તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે. 


ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : જાન્યુઆરીથી અત્યાર સુધી 180 કેસ, 9 લોકોના મોત


સીએમ રેસમાં નામ ઉછળ્યું હતું
ગુજરાતમાં જ્યારે વિજય રૂપાણીનું રાજીનામું પડ્યું હતું ત્યારે કોઈ પાટીદાર ચહેરાના કમાન સોંપવાની વાતો ચાલતી હતી અને તે વખતે પણ પ્રફૂલ પટેલનું નામ ચર્ચામાં આવ્યું હતું. કારણ કે અગાઉ તે રાજ્યના રાજકારણમાં સક્રિય રહી ચૂક્યા હતા. તેઓ વિધાયક  હોવાની સાથે સાથે મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. પ્રફૂલ પટેલ ઓગસ્ટ 2010થી લઈને ડિસેમ્બર 2012 સુધી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે.


કેનેડા જવા માંગતા લોકો માટે મોટા સમાચાર, કેનેડાએ વસ્તી ઘટાડવા કર્યો આ નિર્ણય