ઝી ન્યૂઝ/રાજકોટ: રાજ્યમાં હાલ ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસની શાહી હજુ સૂકાઈ નથી, તેવામાં રાજકોટમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ ઉભો થો છે. રાજકોટમાં 25થી વધુ વિધર્મી લોકોએ યુવાન પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જોકે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક ટિપ્પણી મામલે 25થી વધુ વિધર્મીઓએ યુવકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લા ગાર્ડન પાસે મોડી રાત્રે 25થી વધુ લોકોના ટોળાએ યુવકને માર માર્યાનો આક્ષેપ થયો છે. જેમાં યુવકને સોશિયલ મીડિયામાંથી ધાર્મિક ટિપ્પણી દૂર કરવા જણાવ્યું હતું. પરંતુ યુવકે પોસ્ટ ડિલીટ કરી નહોતી. જેથી વિધર્મીઓએ યુવકે પોસ્ટ દૂર ન કરતાં ભેગા થઈને યુવકને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટોળુ યુવકને માર મારવા વિફર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે. હાલ સમગ્ર ઘટના મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube