Padminiba News: ક્ષત્રિય સમાજનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. ક્ષત્રિય અસ્મિતા સંમેલનના પદ્મિનીબા વાળાનો એક કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના પતિ ગિરિરાજ સિંહ સાથે માથાકૂટ થઈ હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર એ તેમના પતિ ગિરિરાજસિંહને માર માર્યો હોવાની ચર્ચા થઈ રહ્યો છે.


મેલીવિદ્યાની પ્રેક્ટિસ કરવા માંગતી હતી દીકરી, ઘરમાં માતાના ટુકડે ટુકડા કર્યા અને પછી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં થયેલા ક્ષત્રિય આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા સાથે ઘણા વિવાદ જોડાયેલા છે. પરંતુ હાલ પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર પર ગંભીર આક્ષેપ થયો છે. પતિ ગિરિરાજસિંહ પર પત્ની પદ્મિનીબા અને તેમના પુત્રે હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ગિરિરાજ સિંહને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સામે આવી છે.


મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી જાહેર, આ તારીખે થશે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ


ગિરિરાજસિંહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા!
રાજકોટનાં રેલનગરમાં આવેલા રામેશ્વર પાર્કમાં ઘરમાં મોડી રાતે કોઈ બબાલ મામલે પદ્મિનીબા અને તેમના પુત્રે પતિ ગિરિરાજસિંહ પર પાઇપથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી, તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ મામલે હાલ કોઈ સચોટ માહિતી સામે આવી નથી.