Rajkot Gamezone Fire Updates : ખુશીઓની રમત માટે ગયેલા બાળકો જિંદગીની રમત હારી ગયાં. આગકાંડમાં સૌથી વધુ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. જે 28 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તેમાં 9 બાળકો છે. રાજકોટમાં વેકેશનની મજા બાળકો માટે મોતની સજા બની ગઈ છે. માસૂમ બાળકોના મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના એટલી દુખદ છે કે, પરિવારજનો પોતાના સ્વજનોના મોતના મૃતદેહો પણ ઓળખી શક્યા નથી. લાશ એટલી હદે બળી ગઈ છે કે, DNA બાદ જ ખબર પડશે. લોકો હજી આગમાં પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે. ત્યારે રાજકોટના ગેમઝોન આગમાં એક NRI પરિવારને હોમી લીધો છે. આ પરિવાર હજી થોડા દિવસ પહેલા જ અમેરિકાથી રાજકોટ આવ્યો હતો. 


હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને તેમને રાજકોટ લાવ્યું
રાજકોટના ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાયા છે. હજી કોઈનો અત્તોપત્તો નથી લાગી રહ્યો. પરંતું અમેરિકાથી રાજકોટ આવેલા એક પરિવારને આ આગકાંડ ભરખી ગયો. એનઆરઆઈ પરિવારના નવયુગલના હજી ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. ખ્યાતી સાવલીયા અને અક્ષય ઢોલરીયાનું મૃત્યું થયું છે. હજી ચાર દિવસ પહેલા જ આ કપલના લગ્ન થયા હતા. હજારો કિલોમીટર દૂરથી મોત ખેંચીને તેમને રાજકોટ લાવ્યું હોય તેવુ લાગી રહ્યું છે. 


ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ, આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયું


 


રાજકોટ આગકાંડમાં મોતનો સાચો આંકડો કેવી રીતે મળશે? ગુમ થયેલાનું લિસ્ટ આવ્યું સામે


મોત માંગતી ગરમી! ગુજરાતના એક શહેરમાં ગરમી હાહાકાર, 8 દિવસમાં 33 લોકોના મોત