* રાજકોટ : રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અતિ ગંભીર
* ડો. સમીર ગામી , ડો.હરેશ વસ્તપરા , ડો.કપલેશ ગજેરા અને ડો.નિલય આવશે રાજકોટ
* ચાર્ટડ ફલાઇટમાં તબીબો રાત્રીના 12 વાગ્યા બાદ પહોંચશે રાજકોટ
* સુરત થી આવતા તમામ ડોકટર છે ચેસ્ટ ફિઝિશિયન
* ડોક્ટરો ની સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી પણ પહોંચશે રાજકોટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ : ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત ખુબ જ નાજુક હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે. સુરતથી ચાર ડોક્ટર્સની ટીમ રાજકોટ ખાત ભારદ્વાજની સારવાર માટે આવવાની છે. ડૉ. સમીર ગામી, ડૉ. હરેશ વસ્તપરા, ડૉ. કલ્પેશ ગજેસા અને ડૉ. નિલય રાજકોટની મુલાકાતે આવશે. ચાર્ટડ ફ્લાઇમાં તેઓ રાત્રે 12 વાગ્યે રાજકોટ ખાતે પહોંચશે. આ તમામ ડોક્ટર ચેસ્ટ ફિઝિશિયન છે. ડોક્ટરની સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી પણ રાજકોટ આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભય ભારદ્વાજની કોરોનાને કારણે સ્થિતી ખુબ જ ગંભીર છે. 


અમદાવાદ: ગોતામાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો, બાળકીની હત્યા અંગે થયો ચોંકાવનારો ખુલાસો


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી પણ એક ખાસ તબીબોની ટીમ રાજકોટ ખાતે આવી હતી. તેમણે ભારદ્વાજની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે અભય ભારદ્વાજની તબિયત ખુબ જ નાજુક છે. ડોક્ટર અતુલ પટેલે જણાવ્યું કે, તેમના શરીરમાં ઓક્સિજનની તુલનાએ કાર્બન ડાયોક્સાઇડ વધારે રહે છે. ફેફસામાં લોહીની નળી હોય તેવા ગઠ્ઠા થઇ જવાથી આ પરિસ્થિતી સર્જાઇ છે. 3 સપ્તાહથી તેમની સારવાર ચાલી રહી છે. સામાન્ય રીતે બે સપ્તાહમાં જ દર્દી રિકવર થઇ જતો હોય છે. જો કે આમની સ્થિતી વધુ વિકટ થઇ રહી છે. 


સુરત પાટીદાર અગ્રણીની આત્મહત્યા મુદ્દે પોલીસે કરી મોટી કાર્યવાહી, વ્યાજખોરોની ખેર નથી


ફેફસામાં જામેલા લોહીની નખળીઓ ખોલવા માટે તમામ પ્રયાસો ડોક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગઠ્ઠા ઓગાળવા માટે ખાસ દવાઓ અને ઇન્જેક્શન પણ આપવામાં આવી રહ્યા છે. છેલાલા 2 દિવસથી ઓક્સિજન વધારવા માટે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઠવા માટે મશીન દ્વારા પણ તેમને સારવાર આપવામાં આવી રહી છે. જો કે તેમની હાલની સ્થિતી અત્યંત નાજુક અને જોખમી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube