આશ્કા જાની/ અમદાવાદ: ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રાને (Rathyatra 2021) લઇ અમદાવાદ જગન્નાથ મંદિરમાં (Ahmedabad Jagannathji Temple) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથ (Lord Jagannath) આ વખતે કેવો પહેરવેશ ધારણ કરશે તેની લોકો આતુરતાથી રહા જોઈ રહ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથજી માટે અવનવા ડિઝાઈનર પહેરવેશ (Designer Dress) તૈયાર કરવામાં આવ્યા છે. દરેક દિવસે અનોખો પહેરવેશ ભગવાન ધારણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન જગન્નાથની (Lord Jagannath) 144 મી રથયાત્રામાં (Rathyatra 2021) ભગવાન અવનવા ડિઝાઈનર પહેરવેશ (Designer Dress) પહેરશે. નગરચર્યાએ નાથ નીકળશે ત્યારે ગુજરાતી બાંધણીના પહેરવેશ ધારણ કરશે સાથે જ ગુજરાતી બાંધણીનો સાફો બાંધશે. સોના વેશના દિવસે નાથ મરૂન કલરના કસબ વર્કના વાઘા પહેરશે સાથે શ્રીનાથજી વેશ ધારણ કરશે.


આ પણ વાંચો:- હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાક જોવા મળશે વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ


મંગળા આરતીમાં પીળા કરલના વાઘા અને રજવાડી પાઘ પહેરશે. અમાસના દિવસે નાથ લીલા કલરના વાઘા પહેરશે સાથે જ વૃદાવનથી ખાસ મંગાવેલા મુઘટ, ઝડિટ પાઘ ધારણ કરશે અને સાથે લીલો કલર લોકોના જીવનામં હરિયાળી આવે અને કોરોના કાળ દરમિયાન લોકો સ્વસ્થ રહે તેવા પહેરવેશ ધારણ કરશે. ત્યારે ત્રીજા દિવસે જગન્નાથજી ભગવાન શાહી શેરવાનીના રૂપમાં જોવા મળશે.


આ પણ વાંચો:- કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ


ઉલ્લેખનીય છે કે, ભગવાનના રથનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભગવાન જે રથમાં બેસીને નગરચર્યા કરવા નીકળશે તે રથનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે ભગવાનના રથની સમારકામની કામગીરી દર વર્ષ કરતા મોડી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે અખાત્રીજે મુહૂર્ત કરી કામગીરી શરૂ કરવામાં આવે છે.


આ પણ વાંચો:- રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવા કોર્ટમાં જશે વાલી મંડળ, માસ પ્રમોશન આપવા કરશે PIL


પરંતુ આ વખતે કોરોના કાળને કારણે 3 મજૂરો જ કામ કરી રહ્યા છે. રથના સમારકામમાં 5 થી 7 દિવસ લાગશે કેમ કે, રથને ખોલીને ગ્રીસ અને ઓઇલિંગ કરવાનું છે અને સાથે જ કલર કામ પણ કરવાનું છે. સમારકામનં કામ પણ ખલાસી મિત્રો દ્વારા કરવામાં આવે છે.


આ પણ વાંચો:- 15 વર્ષની મહેનત બાદ તૈયાર કર્યો એન્જિનિયરે આ ફોર્મ્યુલા, પેટ્રોલ કરતા વધુ માઈલેજ આપશે આ કાર


દરવર્ષે 1 રથ ખેંચ માટે 400 ખલાસી મિત્રો જોડાય છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે માત્ર 50 ખલાસીઓ રથ કહે ખેંચશે તેવી તૈયારી પણ બતાવી છે. જ્યારે બીજી તરફ ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા નીકળશે કે નહીં તે અંગેનો કોઈ જ નિર્ણય સરકાર દ્વારા લેવાયો નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube