ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. દરરોજ નવા કેસનો રેકોર્ડ બની રહ્યો છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 624 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 198, સુરત શહેરમાં 174 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 391 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 31 હજાર 397 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન કુલ 1809 લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 22808 લોકો સાજા પણ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મૃત્યુ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કુલ 13 લોકોના મૃત્યુ થયા છે. તો સુરત જિલ્લામાં 3, ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 


રાજ્યમાં અત્યાર સુધી થયેલા ટેસ્ટની વિગત
ગુજરાતમાં અત્યાર સુધી 2 લાખ 38 હજાર 131 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો 2 લાખ 34 હજાર 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટીન છે. 

[[{"fid":"269898","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ગુજરાતમાં કોરોનાની હાલની સ્થિતિ
રાજ્યમાં હાલ કોરોનાની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસોની સંખ્યા 6780 છે, જેમાં 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ 22808 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના લીધે 1809 લોકોના મૃત્યુ થયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube