અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 13 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 969 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 1061 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,24,297 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનો સૌરાષ્ટ્રમાં ભરડો: રાજકોટ સિવિલનાં સુપ્રીટેન્ડેન્ટ પણ CORONA પોઝિટિવ આવ્યા


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,82,949 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,80,763 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2186 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 11344 એક્ટિવ કેસ છે. જ્યારે 75 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 11269 સ્ટેબલ છે. 34005 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2127 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 19 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 7, સુરત 3, કચ્છ 2, બનાસકાંઠા 1, નવસારીમાં 1 અને રાજકોટનાં 1 દર્દીનો સમાવેશ થાય છે. 

નવા નોંધાયેલા કેસ
સુરત કોર્પોરેશન 203, અમદાવાદર કોર્પોરેશન 182, સુરત 65, વડોદરા કોર્પોરેશન 41, રાજકોટ કોર્પોરેશન 38, વડોદરા 37, જુનાગઢ કોર્પોરેશન 27, મહેસાણા 24, બનાસકાંઠા 21, ભાવનગર 21, ગાંધીનગર 20, રાજકોટ 19, વલસાડ 19, અમદાવાદ 17, નવસારી 17, ભાવનગર કોર્પોરેશન 15, ખેડા, પાટણ, સુરેન્દ્રનગરમાં 15-15, ભરૂચ 13, જુનાગઢ 13, સાબરકાંઠા 12, ગીર સોમનાથ 11, અમરેલી 10, દાહોદ 10, કચ્છ 10, જામનગર કોર્પોરેશન 9, ગાંધીનગર કોર્પોરેશન 8, પંચમહાલ 8, આણંદ 7, બોટાદ 7, મહીસાગર 7, છોટાઉદેપુર 6, નર્મદા 6, અરવલ્લી 4, મોરબી 4, તાપી 2, ડાંગ 1, જામનગરમાં 1નો સમાવેશ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube