Gujarat Politics : ગુજરાતના રાજકારણમાં ચર્ચા જાગી છે કે એવું તો શું થયું કે 4 મહિનામાં જ ભાજપના નેતાઓને બહારનો દરવાજો દેખાડી દેવાયો. અંબાજી અને સોમનાથ દેવસ્થાન પછી આર્થિક સ્તરે સૌથી સદ્ધર ગણાતા બહુચરાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં ચાર મહિના પૂર્વે ભાજપના ૧૧ જેટલા પદાધિકારીઓ, આગેવાનોની ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ હતી. જેમાંથી બળવંતસિંહ રાજપૂત અને સુખાજી ઠાકોરે ઇલેક્શન પહેલાં આ ટ્રસ્ટમાંથી રાજીનામા ધરી દીધા હતા. જેઓ હાલમાં ધારાસભ્ય છે. ચૂંટણી પહેલાં જ આ 2 નેતાઓએ ટ્રસ્ટી પદેથી રાજીનામા આપી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમઓ સુધી આ મામલો પહોંચ્યો 
બાકીના ૯ માં પૂર્વ સાંસદ જયશ્રીબહેન પટેલ, પ્રદેશ મીડિયા કન્વીનર ડો. યજ્ઞેશ દવેનો સમાવેશ થતો હતો. હજી તો આ ટ્રસ્ટીઓએ કારભાર સંભાળ્યો જ નહોતો ત્યાં ગત સપ્તાહે અચાનક તમામનાં રાજીનામાં લઈ લેવાયા છે. ત્યારે ભાજપમાં અંદરખાને ઊહાપોહ થયો છે. એવું કહેવાય છે કે આ 10 નામોમાં પ્રથમ દિવસે જ એક રાજીનામું આવી ગયું હતું. છેક પીએમઓ સુધી આ મામલો પહોંચ્યો હતો. જેમાં ઉચ્ચકક્ષાએથી દબાણ હોવાથી આ મામલે કોઈ મગનું નામ મરી પાડી રહ્યું નથી. 


[[{"fid":"418013","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bahuchar_turst_letter_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"bahuchar_turst_letter_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bahuchar_turst_letter_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"bahuchar_turst_letter_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"bahuchar_turst_letter_zee.jpg","title":"bahuchar_turst_letter_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"418014","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bahuchar_turst_letter_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"bahuchar_turst_letter_zee2.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"bahuchar_turst_letter_zee2.jpg","field_file_image_title_text[und][0][value]":"bahuchar_turst_letter_zee2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"bahuchar_turst_letter_zee2.jpg","title":"bahuchar_turst_letter_zee2.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


આ પણ વાંચો : 


CMOમાં ‘સાહેબો’ વધ્યા : બેસવા માટે ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિ


જેમનાથી શેક્યો પાપડ પણ ના ભાંગે એ કોંગ્રેસીઓ ભાજપ તોડવા નીકળ્યા હતા, હવે ઉઘરાણી આવી


મંત્રીઓના PA-PS ની નિમણૂંક થઈ, જુઓ કમલમ-સરકારમાં મારેલા આંટાફેરા કોને ફળ્યાં?


રાજીનામા લેવા પાછળનું કારણ શું 
કહેવાય છે કે, PMO ના ધ્યાને કેટલીક ગંભીર બાબતો આવતા આ પવિત્ર દેવસ્થાનમાંથી સૌનાં રાજીનામાં લખાવી લેવાયાં છે. બહુચરાજી બહુચરાજી તાલુકાનું મુખ્ય મથક છે. અહીં આવેલું શ્રી બહુચરાજી માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. જ્યાં ચૈત્રી પૂનમનો બહુ મોટો મેળો ભરાય છે. અંબાજી બાદ ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું મોટુ દેવસ્થાન છે. આ મંદિરનો વહીવટ એ સરકાર હસ્તક હોવાથી કલેક્ટરની અહીં સીધી નજર હોય છે.


ગુજરાતમાં પ્રદેશ મહામંત્રીનો વિવાદ દિલ્હી સુધી પહોચ્યો : મામકાઓને પદોની લ્હાણી કરાઈ