ચેતન પટેલ/સુરતઃ શહેરમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. હવે ડીસીપી વિધિ ચૌધરી (DCP Vidhi Chaudhary)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે. ડીસીપીના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હાલ ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. ડીસીપીના સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં હાલ ગુજરાતમાં અમદાવાદ બાદ બીજુ સૌથી વધુ સંક્રમિત શહેર છે. સુરતમાં ગઇકાલ સાંજ સુધીમાં 4242 કેસ નોંધાયા છે. તો આ મહામારીને કારણે 153 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ અત્યાર સુધી 2801 લોકો સાજા થયા છે. મહત્વનું છે કે, સુરતમાં છેલ્લા એક સપ્તાહથી પોઝિટિવ કેસની સંખ્યામાં મોટો વધારો થયો છે. અહીં દરરોજ 150થી 200 નવા કેસ સામે આવી રહ્યાં છે. 


સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં બનાવાયેલા કોવિડ સેન્ટરમાં ભરાયા પાણી, વીડિયો વાયરલ  


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
શનિવારે રાત્રે રાજ્ય સરકારના મેડિકલ બુલેટિન પ્રમાણે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 30 હજાર 774 પર પહોંચી ગઈ છે. જેમાં અત્યાર સુધી 1790 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 22417 દર્દીઓ અત્યાર સુધી રિકવર થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 20269 છે, તો 1411 લોકોના મૃત્યુ પણ થયા છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube