ચેતન પટેલ, સુરત: અનલોક 1ની સરકારની ગાઈડલાઈન મુજબ આજથી મોલ્સ, રેસ્ટોરન્ટ, હોટલ, ધાર્મિક સ્થળોને ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. સુરતમાં પણ આજથી હોટલ અને રેસ્ટોરન્ટ ખુલ્યા છે. જો કે ગ્રાહકોએ માસ્ક અને સેનેટાઈઝર લાવવા ફરજિયાત રહેશે. જો નહીં લાવે તો હોટલમાંથી ખરીદી કરવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રાજકોટ: આજથી કાગવડ સ્થિત ખોડલધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્યું, આ સૂચનાઓનું કરવું પડશે પાલન


આ ઉપરાંત ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. દરેકનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. હોટલમાં વિઝિટરને નો એન્ટ્રી રહેશે. સ્ટાફને હોમિયોપેથિક દવા આપવામાં આવશે. 



વિધિવત રીતે ખુલ્યા મંદિરો
કોરોનાકાળમાં અઢી મહિનાથી મંદિરોને પણ લોકડાઉનના કારણે બંધ કરવામાં આવ્યાં હતાં જે હવે આજથી ખુલ્યા છે. મંદિરોમાં ફોગાર મશીનો મૂકવામાં આવ્યાં છે. ભગવાનને ફૂલ ચઢાવવા પર પ્રતિબંધ છે. તમામ ભક્તજનોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube