અમદાવાદ : વર્ષ 2017માં ચમત્કારી સુલેમાની પથ્થર ખરીદવા માટે 11 લાખની નકલી નોટો સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. આ ગુનામાં એક આરોપી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો. જેને ગુજરાત ATS ની ટીમે સાબરકાંઠાના ઘડી ગામેથી ઝડપી લીધો છે. ગુજરાત ATS ની ટીમે સાબરકાંઠાના ઘડી ગામેથી ઝડપી લીધો છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, 2017માં અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં 2000ના દરની 11 લાખની નકલી નોટોના ગુનામાં સાત આરોપીઓની ધરપકડ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરના આ ખેડૂતે સ્માર્ટ ખેતી દ્વારા કરી લાખોની કમાણી, આ રીતે કરી શકાય વાવેતર

જેમાં મુળ સાબરકાંઠાના ઘડી ગામનો રહેવાસી કમલેશ પરમાર તેના ગામે આવવાનો છે. જેથી એટીએસની ટીમે તેના ઘરે સર્વેલન્સ ગોઠવ્યું હતું. કમલેશ આવતાની સાથે જ તેને ઝડપી લીધો હતો. આરોપી કમલેશને ક્રાઇમબ્રાન્ચને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસ તેને ઘણા લાંબા સમયથી શોધી રહી હતી. 3 વર્ષ જેટલા લાંબા સમયથી તે ભાગતી ફરી રહી હતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube