ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 419 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 218 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43,049 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2297 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,463 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 


ગુજરાતમાં શિંદે અને ફડણવીસની થઈ સીક્રેટ મીટિંગ, રાત્રે કોઈને મળવા ગયા હતા: સૂત્રો


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 166, સુરત કોર્પોરેશન 62, વડોદરા કોર્પોરેશન 35, ભાવનગર કોર્પોરેશન 30, સુરત 22, વલસાડ 13, જામનગર કોર્પોરેશન 10, નવસારી 9, અમરેલી 8, ગાંધીનગર કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 7, ગાંધીનગર 5, મહેસાણા 5, પાટણ 5, રાજકોટ 5, અમદાવાદ 4, કચ્છ 4, ભાવનગર 3, દેવભૂમિ દ્વારકા 3, ખેડા 3, સુરેન્દ્રનગર 3, વડોદરા 3, મોરબી 2, સાબરકાંઠા 2, આણંદ 1, ભરૂચ 1, તાપી 1 એમ કુલ 419 કેસ નોંધાયા છે.


શું છે તિસ્તા સેતલવાડ સામેના આરોપ? વાંચો અહીં ગુજરાત પોલીસની FIRમાં...


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 691 નાગરિકોને રસીનો પ્રથમ અને 8547 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 643 ને રસીનો પ્રથમ અને 1392 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 22941 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3903 ને રસીનો પ્રથમ અને 4932 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 43,049 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,12,06,319 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube