ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 11,974 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 21655 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,36,156 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 90.53 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 2,13,681 નાગરિકોનું રસીકરણ કરાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 98021 એક્ટિવ કેસ છે. જે પૈકી 285 નાગરિકો વેન્ટિલેટર પર છે. 97736 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10408 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 33 નાગિરકોનાં મોત થઇ ચુક્યાં છે. 


આ તારીખથી શક્તિપીઠ અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે ખુલશે, ભક્તોએ ઓનલાઇન બુકિંગ કરવું પડશે, જાણો દેવસ્થાન ટ્રસ્ટના નિયમો...


જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 3, રાજકોટ 2, ભાવનગર કોર્પોરેશન 4, આણંદ 2, વલસાડ 2, ખેડા 1, જામનગર 1, અમદાવાદ 1, ભાવનગર 1 અને બોટાદમાં 1 વ્યક્તિનું મોત થયું છે. આમ કુલ 33 લોકોના મોત થયા છે.


2 માર્ચથી શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, કેટલું અલગ અને કેટલું મહત્ત્વપૂર્ણ હશે?


જો રસીકરણની ચર્ચા કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 36 ને પ્રથમ, 610 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 5892ને પ્રથમ અને 17992 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26531 નાગરિકોને રસીનો પ્રથમ અને 54442 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 41349 ને પ્રથમ ડોઝ અપાયો હતો. 66829 નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 2,13,681 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,75,98,722 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube