હકીમ ઘડિયાલી/છોટા ઉદેપુર: આદિવાસીઓમાં હોળીના તહેવારનું મહત્વ દીવાળી કરતાં પણ વધુ હોય છે. અને આદિવાસીઓ હોળીના તહેવારને મન મૂકીને મનાવે છે. અને હોળીના તહેવારના પાંચ દીવસ સુધી ઉજવણી કરાતી હોય છે અને આદિવાસીઓ હોળીના તહેવારને પરંપરાગત રીતે ઉજવણી કરતાં હોય છે. અને હોળી દરમિયાન વિવિધ ઠેકાણે ભરાતા મેળામાં જઈને હોળીના આ તહેવારની ઉજવણી કરતાં હોય છે. આવો જ કવાંટ ખાતે ભરાતો ઘેરનો મેળો વિશ્વ વિખ્યાત છે આ મેળામાં લાખોની સંખ્યામાં આદીવાસીઓ આવે છે અને હોળીની ઉજવણી કરતાં હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા


આદીવાસીઓમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વ ધરાવતો હોય છે તેમાય હોળી દરમીયાન ભરાતા મેળાનું ખૂબ મહત્વ હોય છે. આ મેળામાં ગામેગામથી આદીવાસીઓ પારંપરીક વેશભૂષામાં ઢોલ નગારા, પાવા વગાડતા આવતા હોય છે અને આદીવાસી સંસ્કૃતીના દર્શન થાય તેવી રીતે નૃત્ય કરતાં કરતાં મેળામાં આવે છે અને મેળાનો આનંદ લઈને જતાં હોય છે. આવો જ એક વિશ્વ વિખ્યાત મેળો છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ ખાતે યોજાય છે. 


અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! માર્ચ-એપ્રિલ મહિનો કાળ બની ત્રાટકશે!


આ મેળામાં આ વિસ્તારના તમામ આદીવાસીઓ અલગ અલગ વેશભૂષામાં, પારંપરીક વેશભૂષામાં આદીવાસીઓ નજરે પડે છે. જેમાં યુવાનો અને યુવતીઓ એક સરખી વેશભૂષામાં પણ જોવા મળે છે. આ મેળામાં આદીવાસી સંસ્કૃતીના દર્શન થાય છે અને ભાતીગળ મેળાનો આનંદ લેતા આદીવાસીઓ આ મેળામાં જોવા મળે છે. ઘેરના મેળામાં મહિલાઓ પારંપરીક વેશભૂષામાં અને એક જ સરખા વેશ પરીધાનમાં નજરે પડતી હતી. 


ડાંગની મહિલાઓ વર્ષે કરે છે લાખો રૂપિયાની આવક, આ પાકની પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ


મહિલાઓ મોટેભાગે ચાંદીના ઘરેણા પહેરીને આવી હતી, ત્યારે પુરુષો પણ એક સરખા પારંપરીક વેશભૂષામાં વાંસળી, રામ ઢોલ, પાવાના તાલે આદીવાસી નૃત્ય કરતાં કવાંટમાં ભરાયેલ ઘેરના મેળામાં આનંદ કરતા નજરે પડતાં હતા.આ મેળાની ખ્યાતી દેશ વિદેશમાં છે જેને લઈને વિદેશી પર્યટકો પણ આ મેળો જોવા અને આદીવાસીઓની સંસ્કૃતી જોવા માટે મેળામાં આવતા નજરે પડી રહયા છે. પરંતુ કોરોનાને લઈને ચાલુ વર્ષે વિદેશીઓની ગેરહાજરી જોવા મળતી હતી.


છી..છી..છી..બાળકોના ભોજનમાંથી નીકળ્યા કીડા, જોઈને ચઢી જશે ચિતરી


આ મેળામાં કેટલાક આદીવાસીઓ બાધા માનતા રાખીને આવતા હોય છે કેટલાક આદીવાસીઓ ભીખારી, પુરુષ મહીલાના વેશમાં તેમજ કેટલાક અટપટા વેશમાં પણ નજરે પડે છે.પરંતુ આ આદીવાસીઓ બાધા માનતાને લઈને આવી વેશભૂષા પરીધાન કરે છે અને હોળીના પાંચ દીવસ સુધી આ વેશમાં જ રહે છે. 


ગુજરાતી યુવાન માટે ધડક્યું પોલેન્ડની યુવતીનું દિલ, લગ્ન કરી ભૂરીને બનાવી 'રોણી'


આ પાંચ દીવસ આ લોકો જમીન પર જ સૂઈ જાય છે અને સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા હોય છે અને હોળીના મેળામાં જઈને પોતાની માનતા બધા પૂરી કરતાં હોય છે. ઘેરના મેળામાં જે લોકો ઘેરૈયા બનીને આવ્યા હતા તેઓ મોટે ભાગે શરીર ઉપર કાળી મેસ, માથે મોરપીછવાળી ટોપી, શરીર પર સફેદ માટીના ટપકા કરીને તેમજ હાથમાં તીરકામઠા લઈને ઘેર ઉઘરાવતા નજરે પડી રહ્યા હતા.