રવિ અગ્રવાલ ઝી મીડિયા બ્યુરો, વડોદરા: જીવલેણ વાયરસ કોરોના (Corona Virus) નો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જાય છે. વડોદરામાં કોરોનાથી વધુ સાત દર્દીઓના મૃત્યુ થયા છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત (Narendra Rawat) ના ડ્રાઈવરને પણ કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતના ડ્રાઈવર કે જેઓ નવાયાર્ડના સંતોકનગરમાં રહે છે તેમને કોરોના થયો છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમને તાવ આવતો હતો. ગઈ કાલે જ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નરેન્દ્ર રાવત અને તેમના કોર્પોરેટર પત્ની અમી રાવત ચિંતામાં છે. 


પાદરામાં પણ કોરોનાનો કહેર
વડોદરાના પાદરામાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. પાદરા નગરપાલિકાના કોર્પોરેટર દિલીપ વાળંદને કોરોના થયો છે. વડોદરા જિલ્લા એલસીબીમાં પણ કોરોના જોવા મળ્યો છે. એલસીબીના કોન્સ્ટેબલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


આ બાજુ વડોદરામાં કોરોનાથી વધુ 7 દર્દીઓના મૃત્યુ થયા છે. ભરૂચના વેડચના પોલીસ હેડ કોન્સ્ટેબલનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. વાસણા વિસ્તારમાં વૃદ્ધ NRI, આજવા રોડના નિવૃત્ત શિક્ષકનું પણ કોરોના થી મૃત્યુ થયું છે. સમાના ફર્નિચરના વેપારી અને જંબુસર ના 3 દર્દીના પણ કોરોનાથી થયા છે. જો કે વડોદરા પાલિકાએ સત્તાવાર જાહેરાત હજુ કરી નથી. 


આ VIDEO પણ ખાસ જુઓ...


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube