પંચમહાલઃ વડોદરાથી પાવાગઢ ફરવા ગયેલા ત્રણ મિત્રોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. ફરવા ગયેલા મિત્રો પાવાગઢ નજીક આવેલા વડા તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ ત્રણેયના ડૂબી જતા મોત થયા છે. ફાયરબ્રિગેટે આવીને ત્રણેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરાના ત્રણ મિત્રો સોમવારે ફરવા માટે પાવાગઢ ગયા હતા. આ યુવકો શહેરના સલાડવાડા વિસ્તારના છે તેમ જાણવા મળ્યું છે. પાવાગઢ પહોંચ્યા બાદ ત્રણેય મિત્રો પળાવમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક મિત્ર પાણીમાં ડૂબી ગયો અને તેને બચાવવા જતા બીજા બંન્ને પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા અને ત્રણેયના મોત નીપજ્યાં છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. આ જવાનોએ ત્રણેય મિત્રોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. 


આ ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતા મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.