Vikram Sarabhai Death Anniversary: ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રના વિકાસની વાત આવે તો સૌથી પહેલા યાદ આવે ઈસરો. છેલ્લા ઘણા દાયકાઓથી ઈસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયાના કોઈ દેશે નથી મેળવી. પરંતુ ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈએ  ISROની સ્થાપનાના ઘણા વર્ષો પહેલાં જ તેની કલ્પના કરી લીધી હતી. જેને તેઓએ સાકાર કરી ગુજરાતનું દુનિયામાં નામ રોશન કર્યું. પરંતુ વિક્રમ સારાભાઈના નિધન ઊભા થયેલા અનેક સવાલ આજે પણ ગૂંજી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PRLની સ્થાપના
વિક્રમ સારાભાઈ કેંબ્રિજ યૂનિવર્સિટીથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. તે પહેલા તેમણે ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે અભ્યાસ બાદ ગુજરાતના અમદાવાદમાં જ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી.


આઝાદીની લડતમાં યોગદાન આપ્યું
PRLની સફળ સ્થાપના બાદ ડોક્ટર વિક્રમ સારાભાઈએ અનેક સંસ્થાનોની સ્થાપના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. ટેકનીકલ સમાધાનો ઉપરાંત તેમણે અને તેમના પરીવારના સભ્યોએ આઝાદીની લડાઈમાં પણ યોગદાન આપ્યું હતું. 

આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક


અમદાવાદમાં IIMની સ્થાપના
પરમાણુ ઉર્જા આયોગના ચેરમેન બન્યા બાદ તેમણે અમદાવાદના ઉદ્યોગપતિઓની મદદ લઈ IIMની સ્થાપના કરાવી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનમાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી. સેટેલાઈટ ઈંસ્ટ્રક્શનલ ટેલીવીઝન એક્સપેરિમેંટના લોન્ચમાં પણ તેમનો મહત્વનો ફાળો હતો. તેમણે 1966માં નાસા સાથે તેના માટે વાતચીચ પણ કરી હતી. 


હોમી ભાભાએ રોકેટ લોન્ચિંગ સ્ટેશન માટે મદદ
ભારતના પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના જનક ડોક્ટર હોમી ભાભાએ ભારતમાં પહેલું રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં વિક્રમ સારાભાઈનું સમર્થન કર્યુ હતું. જેમાં પહેલી ઉડાન 21 નવેમ્બર 1963ના સોડિયમ વાષ્પ પેલોડ સાથે કરવામાં આવી હતી. 


સેટેલાઈટ લોન્ચમાં ભૂમિકા
દેશના પહેલા સેટેલાઈટ આર્યભટ્ટના લોન્ચમાં પણ વિક્રમ સારાભાઈની મહત્વની ભૂમિકા હતી. નેહરુ વિકાસ સંસ્થાનના માધ્યમથી તેમણે ગુજરાતની ઉન્નતિમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ દેશ તેમજ વિદેશના અનેક વિજ્ઞાન અને શોધ સંબંધી સંસ્થાઓના અધ્યક્ષ અને સભ્ય રહ્યા હતા.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીની અને માતા હીરાબા સાથેની યાદગાર તસવીરો , બા આર્શિવાદ લેવાનું ચૂકતા નહી PM
આ પણ વાંચો:  Heeraba Rare Interview: હીરાબાએ કરી હતી ભવિષ્યવાણી, 'નરેન્દ્ર એક દિવસ PM બનશે'
આ પણ વાંચો: એક મહારાજે પહેલા જ ભાખી દીધું હતું નરેન્દ્ર મોદીનું ભવિષ્ય, જાણો શું હતી ભવિષ્યવાણી


ભારતને આપી અમૂલ્ય ભેટ
ડોક્ટર વિક્રમ સારાભાઈ તેમના સમયના એવા ગણતરીના વૈજ્ઞાનિકોમાંથી એક હતા જે પોતાની સાથે કામ કરતા યુવા અને પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. તેમણે ડોક્ટર અબ્દુલ કલામની કારર્કિદીની શરૂઆતમાં તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરી હતી. ડો કલામએ પણ કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં નવા હતા ત્યારે તેમની પ્રતિભાને નિખારવામાં ડો સારાભાઈએ ખૂબ રસ લીધો હતો. 


વિક્રમ સારાભાઈને અનેક પુરસ્કારો મળ્યા
ડો વિક્રમ સારાભાઈને 1962માં શાતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો હતો. તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં  મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં 30 ડિસેમ્બરે માત્ર 52 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું.


આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube