ગૌરવ પટેલ, ગાંધીનગર: ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીને લઇ સવારે 9 થી સાંજે 4 દરમિયાન મતદાન યોજાયું હતું. ત્યારે રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી માટે 4 વાગ્યે મતદાન પૂર્ણ થઈ ગયું અને સાંજના 5 વાગ્યે મતગણતરી શરૂ થવાની હતી. જો કે, કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતી મોડી શરૂ થશે. કોંગ્રેસની વાંધા અરજી પર કેન્દ્રિય ચૂંટણી પંચનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. બે વાંધા અજી પર પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ, આખરે BTPના બે વોટ ન પડતા ભાજપના ઉમેદવારોની જીત નક્કી


કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાએ રાજ્યસભાની ચૂંટણીમાં પ્રોક્સી વોટ અંગે વાંધો ઉઠાવ્યો છે. કેસરી સિંહ સોલંકી અને શંભુજી ઠાકોરના પ્રોક્સી વોટ અંગે વાંધો ઉઠાવ્યો છે. બંનેની તબીયત સારી હોવા છતાં અન્ય લોકોએ મત આપ્યો હોવાથી મત રદ કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ ગૌરવ પંડ્યાએ ભુપેન્દ્ર સિંહ ચુડાસમાના મત સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમની ચૂંટણી હાઇકોર્ટે રદ કરી હોવાથી તેઓનું સભ્યપદ રહેતું નથી. આવા સંજોગોમાં તેમનો મત અલગ રાખવાની માગ કરી છે.


ત્યારે ગૌરવ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જો અમારી વાંધા અરજી નહીં સ્વાકારવામાં આવે તો કાયદાનો સહારો લઈશું અને ભવિષ્યમાં હાઇકોર્ટમાં ઈલેક્શન પીટીશન દાખલ કરીશું. જો કે, કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતી મોડી શરૂ થશે. કોંગ્રેસની વાંધા અરજી પર કેન્દ્રિય ચૂંટણી પંચનું માર્ગદર્શન માગવામાં આવ્યું છે. બે વાંધા અજી પર પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:- ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી, કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું - સૂત્ર


ઉલ્લેખનીય છે કે,  રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી માટે પાંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ અને કોંગ્રેસના તમામ ધારાસભ્યોને મતદાન કર્યું છે. એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાર્ટી વિરુદ્ધ જઈને પણ ભાજપને સમર્થન આપ્યું છે. ત્યારે BTP એ રાજ્યસભા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. બીટીપીના બે ધારાસભ્યો માટે નિયમ પ્રમાણે ચાર વાગ્યા સુધી રાહ જોવામાં આવી હતી. પરંતુ આખરે બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી છે.


રાજ્યસભાની ચૂંટણીને લઇ બંન પક્ષોનો સવારથી ધમધમાટ શરૂ થઈ ગયો હતો. જો કે મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યસભાના આ ચૂંટણી જંગમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારની જીત લગભગ નિશ્વિત છે. બીટીપીના બંને મત ભરતસિંહ સોલંકીને મળે તો પણ કોંગ્રેસ જીતની નજીક નથી. હાલની સ્થિતિએ ભાજપના સભ્યોના મત રદ કે ખોટા થાય તો જ ભરતસિંહ સોલંકી જીતી શકે છે. 


આ પણ વાંચો:- એક-એક મત પણ કિંમતી હોવાથી ભાજપના 4 ધારાસભ્યો એમ્બ્યુલન્સથી વોટ આપવા પહોંચ્યા


ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને જીતવા માટે જરૂરિયાત પૂરતા મત મળી ચૂક્યા છે. તો ભરતસિંહ સોલંકી (bhratsinh solanki) હજી પણ એક મત પાછળ છે. આમ, ભરતસિંહ સોલંકીની જીતની આશા ધૂંધળી દેખાઈ રહી છે. તો કોંગ્રેસ પોતાના બીજા ઉમેદવારને નહિ જીતાડી શકે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકીની જીતવાની સંભાવના નહિવત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube