અમદાવાદ : અમે તમને સતત બતાવી રહ્યા છીએ કે અયોધ્યા અમારા માટે એટલે ZEE ન્યૂઝ માટે TRPનો વિષય નથી. પરંતુ સૌહાર્દનો વિષય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી નિર્ણય ન સંભળાવે. ZEE ન્યૂઝ કોઈ ચર્ચા અયોધ્યા પર નહીં કરે. આથી અમે તમને સૌહાર્દવાળી ચર્ચા બતાવી રહ્યા છીએ સીધી અયોધ્યાથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો દેશે આ સમયે હમ એટલે હિંદુ-મુસ્લિમ એકતાની શક્તિ બતાવી દીધી. તો આખી દુનિયામાં આપણા દેશની ધર્મનિરપેક્ષની છબિ વધારે મજબૂત બનશે. અને દેશ હમ ફોર્મ્યૂલાથી દરેક સમસ્યાને સરળતાથી ઉકેલી શકશે. કારણ કે ZEE ન્યૂઝ તમને અપીલ કરે છે કે શાંતિ જાળવી રાખો. પંચ પરમેશ્વર એટલે સુપ્રીમ કોર્ટ  પર વિશ્વાસ રાખો. કોર્ટ જે પણ નિર્ણય કરે. તે અમને બધાને માન્ય હશે. કારણ કે હિંદુસ્તાન બંધારણ સાથે જોડાયેલું છે. અને આજ આપણી પ્રગતિ અને શાંતિનું કારણ છે.


અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં સોમવારની અડધી રાતથી જોવા મળ્યો અલગ નજારો. દેશના વિવિધ ભાગમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુ ધર્મનગરીની ચારેબાજુ રસ્તા પર ઉમટી પડ્યા. 14 કોસી પરિક્રમામાં ઉમટેલી ભીડ જોઈને લાગ્યું કે લાખો શ્રદ્ધાળુ કોઈપણ આશંકાથી નથી ભયભીત.

દેશના ખૂણે ખૂણાથી અયોધ્યા પહોંચેલા હજારો લાખો શ્રદ્ધાળુઓની ભીડ પોતાના આરાધ્યની નગરીની પરિક્રમા કરી રહ્યા છે. આ રામ નામની આસ્થા છે જે સાધન સંપન્ન લોકોને અયોધ્યાની પવિત્ર ભૂમિ પર ખુલ્લા પગે ચાલવા છતાં સુખ આપી રહી છે. અયોધ્યામાં ચારેબાજુ સંભળાઈ રહેલ રામધૂન, શ્રીરામનો જય જયકાર, રામભક્તોના જોશને વર્ણવી રહી છે. સૌથી મોટા નિર્ણયનો કોઈ તણાવ અયોધ્યામાં જોવા મળતો નથી. અહીંયા ચારેબાજુ આશા છે, સાંપ્રદાયિક સૌહાર્દ છે અને અયોધ્યાના પરિક્રમા પથ પર કણ કણમાં વસેલા રામ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube