Amrood Side Effects: જામફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. ખાસકરીને પેટની પાચનશક્તિ વધારવા અને ઝાડામાં રાહત માટે વડીલો કેળાની સાથે જામફળ ખાવાની સલાહ આપે છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. જોકે કેટલાક એવા લોકો પણ છે જેમને જામફળ (Side Effects of Guava) ભૂલથી પણ ન ખાવા જોઇએ. આમ કરવાથી તે ગંભીર રૂપથી બિમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. આવો જાણીએ કયા લોકોને શિયાળામાં જામફળ ખાવાનું ટાળવું જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બિમારીઓના દર્દીઓએ ન ખાવા જોઇએ જામફળ
હેલ્થ એક્સપર્ટોના અનુસાર ગર્ભવતી (Pregnant) અને સ્તનપાન કરાવતી મહિલાઓને જામફળ ખાવાનું (Side Effects of Guava) ટાળવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળની તાસીર ઠંડી હોય છે જેથી ગર્ભવતી અને નવજાતની તબિયત બગડી શકે છે. શિયાળામાં શરદીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઇએ. 


ડાયાબિટીઝના દર્દીઓ સેવનથી બચે
ડાયાબિટીઝના દર્દીઓ જામફળ ખાઇ તો શકે છે પરંતુ તેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળ (Amrood khane ke Side Effects)માં શુગર હોય છે, જે તમારા ડાયાબિટીઝનું લેવલ વધારી શકે છે. તમે તમારા ડોક્ટર સાથે કંસલ્ટ કરીને જામફળ ખાવાનો નિર્ણય કરી શકો છો. 


આ પણ વાંચો
આજે ખરી કસોટીનો દિવસ : 9.53 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કનું પેપર આપશે
છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે વાવાઝોડું
09 એપ્રિલ 2023 રાશિફળઃ કોને નડશે અને કોને ફળશે ગ્રહોની ચાલ? કેવો રહેશે આજનો દિવસ?


એવા લોકો જેમને જલદી જ કોઇ બિમારીનું ઓપરેશન થવાનું છે, તેમને સર્જરીના 2 અઠવાડીયા પહેલાં જામફળનું સેવન બંધ કરી દેવું જોઇએ. આમ કરવાથી બોડીના બ્લડ સર્કુલેશનમાં અડચણ આવી શકે છે. જેથી શ્વાસ લેવાની સમસ્યા અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 


ગેસ્ટોવાળા દર્દીઓ માટે નુકસાન
પેટમાં ગેસ બનવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે પણ જામફળનું સેવન કરવું સારું ગણવામાં આવતું નથી. તેનાથી તેમને ગેસ્ટ્રોની સમસ્યા વધી જાય છે. જો જામ ખાધા પછી તમને પેટમાં ચૂંક અનુભવાય અથવા ઉલટીનું મન થાય તો તમે જામફળ ખાવાનું ટાળો. 


(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણાકરી પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube