Chocolate Disadvantages: ચોકલેટ જોતાં જ બાળકોના ચહેરા પર સ્માઇલ આવી જાય છે કારણ કે બાળકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે. બાળકો મોટાભાગે ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના ખાવાના શોખીન હોય છે. પરંતુ જો તમારું બાળક વધુ ચોકલેટ ખાઇ રહ્યું છે તો તમારે સાવધાન થવાની જરૂર છે. કારણ કે ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવા હાનિકારક તત્વો વધુ માત્રામાં મળી આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ
WPL: કરિયરમાં સંઘર્ષની દીવાર...પિતા ડ્રાઇવર, કોણ છે રાતોરાત સ્ટાર બનનાર શોભના?

એટલા માટે વધુ પડતી ચોકલેટ ખાવી બાળકો માટે હાનિકારક હોય છે. આ સાથે જ ચોકલેટમાં હાજર કેફીન અને શર્કરા બાળકોને નુકસાન પહોંચાડે છે. ચોકલેટ વધુ ખાવાથી હાઇ બીપી, ડાયાબિટીસ, કિડની ફેલ, મોટાપા અને મગજ સાથે સંકળાયેલી સમસ્યા થઇ શકે છે. એટલા માટે બાળકોને વધુ પડતી ચોકલેટ ખાવા દેવી જોઇએ નહી. આવો જાણીએ અહીં... 


ગરમી શરૂ થાય તે પહેલાં ઘરે લાવો 1.5 Ton Split AC, આ કંપની આપી રહી છે 50% ડિસ્કાઉન્ટ


બની શકે છે કેન્સર જેવી બીમારીઓનું કારણ 
ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાને કારણે કિડનીના રોગો થવાનું જોખમ રહે છે. જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે. આ ઉપરાંત, તે ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે.


Gold Price Update: સોનું ખરીદનારાઓ માટે Golden ચાન્સ, 1594 રૂપિયા થયું સસ્તું!
ફોન પર વાતો કરી પત્નીની વાતો સાંભળી પતિએ શેર બજારમાં કરી 14 કરોડની કમાણી


વધે છે કોલેસ્ટ્રોલ 
ચોકલેટમાં કેફીન અને શુગર હોય છે જે બ્લડ શુગરને વધારે છે. વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે. જેનાથી ધમનીઓમાં અડચણ આવી શકે છે. 


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!


ઊંઘ પર અસર
ચોકલેટ ખાવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડે છે.ઊંઘ ન આવવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર થાય છે. જ્યારે બાળકોને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તેઓ ચીડચીડીયા અને ઉદાસ રહે છે. તેમની યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શીખવાની ક્ષમતા પર અસર થાય છે. તેથી, માતાપિતાએ બાળકોને રાત્રે ચોકલેટ ખાવાનું બંધ કરવું જોઈએ અને યોગ્ય ઊંઘની પેટર્ન જાળવવાનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી બાળકોના માનસિક વિકાસમાં મદદ મળશે.


3 વર્ષના કેરિયરમાં 14 ફિલ્મો, 18 ની ઉંમરમાં લગ્ન, કંઇક આવી રહી ટોપ એક્ટ્રેસની લાઇફ
Pressure Cooker: રાંધતી વખતે વાગતી નથી પ્રેશર કુકરની સીટી, ભોજન બળી જતું હોય અપનાવો