Ginger Tea Side Effects: ભારતમાં ચા પીનારાઓની કોઈ કમી નથી, પાણી પછી ચા સૌથી વધુ પીવાતુ પીણું છે. લોકોને તેમાં અલગ-અલગ મસાલા મિક્સ કરવા ગમે છે. ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો આદુવાળી ચા પીવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય. છે, તેથી તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ મસાલો શરદી અને ઉધરસ સામે ખૂબ જ અસરકારક છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ છે, સાથે જ લોકો પાચનક્રિયા સુધારવા માટે પણ તેનું સેવન કરે છે, પરંતુ આ મસાલો નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ બીપીના દર્દીઓએ આદુવાળી ચા ન પીવી જોઈએ
જે રીતે દરેક વસ્તુમાં ફાયદા અને ગેરફાયદા છુપાયેલા હોય છે, તેવી જ રીતે આદુમા પણ એવુ જ હોય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આદુવાળી ચા ન પીવી જોઈએ કારણ કે તે તેમના માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેમજ તેને પીવાથી ચક્કર આવવા અને નબળાઈ જેવી સમસ્યા પણ થઈ શકે છે.



આદુવાળી ચાના ગેરફાયદા


1. બેચેની
જો તમે વારંવાર બેચેનીની ફરિયાદ કરો છો, તો આદુવાળી ચા પીવાનું બંધ કરી દો, કારણ કે તે પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જેના કારણે બેચેની વધી શકે છે.


2. પેટમા જલન
જો કે આદુને પાચન માટે સારું માનવામાં આવે છે, પરંતુ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે કારણ કે આ મસાલામાં આદુ મળી આવે છે, જે પેટમાં વધુ એસિડ છોડે છે, જેના કારણે પેટની ફરિયાદ થઈ શકે છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
PM મોદીને મળ્યું ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન,આ સન્માન મેળવનારા પહેલા ભારતીય PM
ચોમાસામાં ફરવા માટે આ જગ્યાઓ છે બેડ ચોઈસ, ભુલથી પણ આ સીઝનમાં ટ્રીપ પ્લાન ન કરતાં

August Grah Gochar: જાણો કઈ કઈ રાશિઓને થશે સૂર્ય, મંગળ અને શુક્રના ગોચરથી લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube