Weight Loss: આજના સમયમાં સ્થૂળતાએ ગંભીર સમસ્યા બની ચૂકી છે. મોટાભાગના લોકો પોતાના વધારે વજનથી પરેશાન હોય છે. વજન વધી જાય તો તે માત્ર દેખાવને ખરાબ કરે છે તેવું નથી વધારે વજનના કારણે શરીરમાં ગંભીર બીમારીઓ પણ વધે છે. વજન વધી જાય પછી લોકો તેને ઘટાડવા માટે કલાકો સુધી જ જીમમાં વર્કઆઉટ કરે છે અને ડાયટિંગ પણ કરે છે. કેટલાક લોકો તો ફેટ બર્નિંગ સપ્લીમેન્ટ પણ લેવા લાગે છે. પરંતુ બેદરકારીના કારણે વધેલું વજન ઘટાડવા માટે આવા પ્રયત્ન કરવા ઘણી વખત હાનિકારક સાબિત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Health Tips: અલગ અલગ પ્રકારના બોર હોય છે સ્વાસ્થ્યવર્ધક, જાણો કયા રોગથી આપે છે રાહત


જો તમે શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય અને વજન પણ ઘટે તેવું ઇચ્છતા હોય તો હંમેશા નેચરલ વસ્તુઓની મદદ લઈને વજન ઘટાડવું જોઈએ. જો તમે વજન ઘટાડવાની નેચરલ રીતોને અપનાવશો તો તેનાથી આડઅસર પણ નહીં થાય અને વજન પણ એકવાર ઘટ્યા પછી વધશે નહીં. આવી જ એક વસ્તુ વિશે આજે તમને જણાવીએ જેનાથી તમારું વજન એક મહિનામાં જ ઘટી જશે અને શરીરને કોઈ નુકસાન પણ નહીં થાય.


આ પણ વાંચો: Heart Attack: સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો અને કારણો પુરુષો કરતા અલગ હોય છે


વજન ઘટાડવા માટે તમે એક દેશી આયુર્વેદિક કાઢાનો ઉપયોગ કરી શકો છો. આ કાઢો ઘરેમાં રહેલી વસ્તુથી જ બની જાય છે અને તેનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે. ખાસ વાત એ છે કે એક વખત વજન ઓછું થયા પછી તે ફરીથી વધતું પણ નથી. આ કાઢો પીવાથી શરીરને અન્ય કોઈ આડઅસર પણ નહીં થાય. તો ચાલો સૌથી પહેલા જાણી લો કે વજન ઘટાડવા માટેનો આયુર્વેદિક કાઢો કેવી રીતે બનાવવો.


કાઢો બનાવવાની સામગ્રી


આ પણ વાંચો: Migraine Pain: માઈગ્રેનની અસહ્ય પીડામાંથી 100% મળશે મુક્તિ, આ 5માંથી 2 આસન રોજ કરો


આમળાનો પાવડર એક ચમચી
હરડે પાવડર એક ચમચી
ગોળનો એક ટુકડો
પાણી એક ગ્લાસ


કાઢો બનાવવાની રીત


આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલના દુશ્મન છે આ પીળા ફળ, રોજ ખાવાથી નસોમાં જામેલું કોલેસ્ટ્રોલ થશે સાફ


સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેને ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેમાં આમળા અને હરડેનો પાવડર ઉમેરી દો. પાંચ મિનિટ પછી તેમાં ગોળનો ટુકડો ઉમેરી બે થી ત્રણ મિનિટ ઉકાળો. હવે આ કાઢાને ગાળી અને ચાની જેમ પી લો. નિયમિત રીતે સવારે આ કાઢો પીવાનું રાખશો તો એક મહિનામાં સાતથી આઠ કિલો વજન ચોક્કસથી ઘટી જશે. ગોળ, આમળા અને હરડેનું મિશ્રણ શરીરમાં જામેલી ચરબીને માખણની જેમ ઓગાળી દેશે સાથે જ શરીરમાં જમા થયેલા વિષાક્ત પદાર્થોને પણ શરીરમાંથી બહાર કાઢશે.


વજન ઘટાડવા માટે આ આયુર્વેદિક કાઢો રોજ સવારે ખાલી પેટ પીવો. જો તમે રોજ સવારે એક ગ્લાસ આ કાઢો પીવાની શરૂઆત કરશો તો રિઝલ્ટ ઝડપથી જોવા મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)