Karonda Benefits: કરમદા એક નાનકડું ફળ છે જે દેખાવમાં તો સાધારણ લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. ઔષધીય ગુણથી ભરપૂર આફડ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી સિઝનમાં મોટા પ્રમાણમાં મળે છે. કરમદાનો ઉપયોગ અથાણું, મુરબ્બો અને અન્ય વ્યંજન બનાવવામાં કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Cow milk: જાણો ગાયના દૂધથી બાળકોને થતા 5 જબરદસ્ત ફાયદા


ભારતભરમાં અલગ અલગ નામેથી ઓળખાતા કરમદા અનેક મહત્વપૂર્ણ પોષક તત્વથી ભરપૂર હોય છે. સ્વાદમાં ખાટ્ટા મીઠા આ ફળ વિટામીન સી, વિટામિન એ, વિટામિન કે અને વિવિધ ખનીજ જેમકે પોટેશિયમ, કેલ્શિયમ અને આયરનથી ભરપૂર હોય છે. ખાસ કરીને કરમદામાં રહેલું વિટામિન સી વિશેષ રીતે ઇમ્યુન સિસ્ટમને સશક્ત બનાવવામાં મદદ કરે છે. જેનાથી શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે. 


કરમદાથી થતા સ્વાસ્થ્ય લાભ 


આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું ?


- ખૂબ જ સસ્તા ભાવે મળતા કરમદા ફાઇબરથી ભરપૂર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કરમદાનું સેવન કરવાથી કબજિયાત અને અન્ય પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. કરમદા ફાઇબર યુક્ત આહાર છે જેનાથી પાચન ક્રિયા સુધરે છે અને પેટની સમસ્યાઓ મટે છે. 


- કરમદામાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે વજન ઘટાડવાની કોશિશ કરતા લોકો માટે આ ફળ આદર્શ વિકલ્પ છે. તેનાથી ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. તેથી તમને ઓવર ઈટિંગ કરવાની ક્રેવિંગ થતી નથી. પરિણામે વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: વરસાદની ઋતુમાં મળતા અળવીના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી સુગર, બીપી રહેશે કંટ્રોલમાં


- કરમદામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કરમદા હાર્ટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે. 


- કરમદા એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. જે શરીરને ફ્રી રેડીકલ્સથી બચાવે છે. કરમદા ત્વચાને થતું નુકસાન અટકાવે છે અને વૃદ્ધાવસ્થાના લક્ષણોને ધીમા કરે છે. 


આ પણ વાંચો: સ્ટ્રોક આવે તેના 7 દિવસ પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરવાની ન કરવી ભુલ


- કરમદાનું સેવન કરવાથી ત્વચા જરૂરી વિટામીન સી મળે છે અને ત્વચા પર ચમક આવે છે. કરમદાનું સેવન કરવાથી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. કરમદા ત્વચાની પ્રાકૃતિક સુંદરતા વધારવામાં મદદ કરે છે. 


- કરમદા ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં પણ અલગ અલગ બીમારીઓમાં કરમદાનો ઉપયોગ કરવામાં આવે છે. કરમદાના ઉપયોગથી તાવ અને સોજા જેવી સમસ્યાથી રાહત મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)