Health News: ગરમીમાં શરીરની ઉર્જા વધારવા માટે લોકો બજારોમાં મળતા અલગ અલગ એનર્જી ડ્રિંકનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તાજેતરના સંશોધનમાં એક ધડાકો થયો છે અને જાણવા મળ્યું છે કે આ પીણાં જીવલેણ રોગોનું કારણ બની શકે છે. આ પીણામાં ખાંડ અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે. ડૉક્ટરોનું કહેવું છે કે આનાથી હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે, જેને તાત્કાલિક સારવારની જરૂર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'મોદીએ કહ્યું; કેમ આ વખતે વિરોધીઓને EVM ના નડ્યું? હું જનતાના બધા સપના સાકાર કરીશ'


એક કપ કોફીમાં જ્યારે 100mg કેફીન હોય છે, જ્યારે એનર્જી ડ્રિંક્સમાં 80mg થી 300mg કેફીન જોવા મળે છે. સાથે તેમાં ટૌરિન અને ગુઆરાના જેવા તત્વો પણ હોય છે, જે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને હૃદયના અન્ય કાર્યોને અસર કરે છે. 


144 દર્દીઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો
અમેરિકન મેયો ક્લિનિકના સંશોધકોએ હાર્ટ એટેકથી બચી ગયેલા 144 દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યો હતો. જેમાંથી 7 લોકોએ (ઉંમર 20 થી 42 વર્ષ) ઘટનાના થોડા સમય પહેલા એનર્જી ડ્રિંક પીધું હતું. જેમાંથી છ લોકોને સારવાર માટે ઈલેક્ટ્રીક શોક અને એકને જરૂરી સી.પી.આરની જરૂરિયાત પડી.


સંસદમાં મોદીના પગે પડ્યા નીતિશકુમાર, બધાએ ત્રીજીવાર PM તરીકે મોદીના નામ પર મારી મહોર


એક્સપર્ટનું નિવેદન
ઇટલીના મિલાનમાં સેન્ટર ફોર કાર્ડિયાક એરિથમિયાસ ઓફ જિનેટિક ઓરિજિન એન્ડ લેબોરેટરી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર જિનેટિક્સના પીટર શ્વાર્ટઝે તેમના રિપોર્ટમાં લખ્યું છે કે કેટલાક લોકો એવું કહી શકે છે કે આ માત્ર એક સંયોગ છે. અમે અને મેયો ક્લિનિક બંને જાણીએ છીએ કે એનર્જી ડ્રિંક્સ ગંભીર હ્રદય રોગનું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટપણે સાબિત થયું નથી, પરંતુ વધુ તપાસ જરૂરી છે.


ઉતાર-ચઢાવ વચ્ચે બજારમાં 1 વર્ષ માટે BUY કરો 5 ક્વોલિટી શેર, 40% સુધી મળશે રિટર્ન


એનર્જી ડ્રિંક્સમાં કેફીન અને ખાંડ શરીર પર કેવી અસર કરે છે?
લંડનની ફ્લીટ સ્ટ્રીટ ક્લિનિકના ડો. બેલિન્ડા ગ્રિફિથ્સનું કહેવું છે કે કેફીન હૃદયના ધબકારા વધારે છે, મગજને તેજ બનાવે છે અને ઊંઘ દૂર કરે છે. કેફીનની થોડી માત્રા પુખ્ત વયના લોકો માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. અભ્યાસો દર્શાવે છે કે દિવસમાં 2 કે તેથી વધુ કપ કોફી (કેફીન સામગ્રીના આધારે) હૃદય રોગ માટે ફાયદાકારક હોઈ શકે છે. પરંતુ, એનર્જી ડ્રિંક્સમાં જોવા મળતી જથ્થામાં શુદ્ધ ખાંડ બિલકુલ સ્વાસ્થ્યપ્રદ નથી. ગ્રિફિથ્સ કહે છે કે આપણે આને ટાળવું જોઈએ. ખાણી-પીણીમાંથી આપણને પર્યાપ્ત માત્રામાં ખાંડ મળે છે. તેનાથી બ્લડ શુગર વધે છે, થોડા સમય માટે એનર્જી મળે છે અને પછી અચાનક ઘટી જાય છે, જેનાથી મૂડ ખરાબ થઈ શકે છે અને ભૂખ વધારી શકે છે.


ન્યૂયોર્કની ગલીમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, આ જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે


લંડનની પોષણ વિશેષજ્ઞ બીની રોબિન્સન એનર્જી ડ્રિંક્સ છોડવાની સલાહ આપે છે અને તેની જગ્યાએ ફિઝી પાણી પીવાની સલાહ આપે છે. તે કહે છે કે આપણે એનર્જી માટે એનર્જી ડ્રિંક્સ પર નિર્ભર ન રહેવું જોઈએ. હું લોકોને ફિલ્ટર કરેલું પાણી પીવાની સલાહ આપું છું - આ તે છે જે ખરેખર આપણને ઊર્જા આપે છે. એનર્જી ડ્રિંકના વધુ પડતા સેવનથી કેફીન, આર્ટિફિશિયલ ફ્લેવર અને ગળપણ શરીરમાં પ્રવેશે છે, જે આપણી એનર્જી અને આંતરડાને અસર કરી શકે છે.