મુંબઇ: દેશની આર્થિક રાજધાની મુંબઇ પાસેની કલ્યાણ લોકસભા ચૂંટણી બેઠક પર વોટિંગ બાદ ઇવીએમ ગાયબ થવાથી રાજકીય પાર્ટીઓના પરસેવા છૂટી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ લોકસભા બેઠકના 223 ઇવીએમ ગાયબ થઇ ગયા હતા. આ મામલો સોમવાર મોડી રાત્રે સામે આવ્યો છે. અહીં થયેલા વોટિંગ બાદ હિસાબમાં મૂંઝવણ ત્યારે ઊભી થઈ જ્યારે કુલ ઇવીએમમાં 223 મશીનો મળી રહ્યા ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો


કલ્યાણ લોકસભા બેઠક પર સોમવારે થયેલા મતદાન બાદ બધા ઇવીએમ અને સંબંધિત સામગ્રી ડોંબિવલીમાં સાવિત્રીબાઇ ફૂલે થિયેટરની રાત મજબૂત રૂમમાં આવવાની હતી, પરંતુ, એવું થયુ નથી. તેના પર શિવસેનાએ આપત્તિ દર્શાવી છે.


વધુમાં વાંચો: PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ


જાણવા મળી રહ્યું છે કે, પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના પુત્ર ડોક્ટર શ્રીકાંત શિંદે અહીં ચૂંટણી લડી રહ્યાં છે. પાર્ટીના નેતા ઇવીએમના હિસાબમાં મુશ્કેલીને લઇને ચૂંટણી અધિકારીઓ પાસે પહોંચ્યા. પરંતુ, તેમને ત્યાંથી યોગ્ય જવાબ મળ્યો નહીં. પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ગોપાલ લાંડગેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પંચના પ્રતિનિધિ તેમને યોગ્ય જાણકારી આપી રહ્યા નથી.


વધુમાં વાંચો: વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ છે ચોંકાવનારૂ !


મામલો મોડી રાત્રે 23 કલાકની મુશ્કેલીઓ બાદ ઉકેલ આવ્યો. જ્યારે બધા ઇવીએમ સુરક્ષિત નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયા. ચૂંટણી અધિકારી શિવાજી કાદબે જણાવ્યું હતું કે, બધા ઇવીએમ તેમની જગ્યા પર જ હતા. જ્યાં તેમણે તૈનાત કરવામાં આવ્યા હતા. પ્રક્રિયામાં વાર થવાના કારણે તે સમય પર સ્ટ્રોંગ રૂમમાં જમા થઇ શક્યા ન હતા. જોકે, રાજકીય દળ ચૂંટણી પંચના આ તર્કનો સ્વીકાર ન કરી રહ્યા હતા. વોટના 23 કલાક સુધી ઇવીએમ અને સંબંધિત સામગ્રીને સ્ટ્રોંગ રૂમમાં જમા ન થવા પર ચર્ચાનો વિષય બન્યો છે.
(ઇનપુટ: આતિશ ભોઈર)


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...