2019માં મોદી-શાહની જોડીના 5 ઐતિહાસિક નિર્ણય, જેણે દેશનો `ઈતિહાસ` અને `ભૂગોળ` બદલી નાખ્યા
શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પર નવો કાયદો બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે 2024 સુધીમાં તેઓ પોતાના તમામ રાજકીય એજન્ડા પૂરા કરીને જ રહેશે.
નવી દિલ્હી: સંસદમાં નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) પાસ કરાવવાની સાથે જ મોદી સરકાર 2.0એ વર્ષ પૂરું થતા પહેલા પોતાના મોટા મોટા ચૂંટણી વચનોને પૂરા કરવાની હેટ્રિક મારી દીધી છે. 6 મહિના પહેલા જ્યારે મોદી સરકાર (Modi Government) ફરીથી પ્રચંડ બહુમતથી સરકારમાં આવી તો કોઈએ વિચાર્યું પણ નહતું કે પીએમ મોદી (Narnedra Modi) અને અમિત શાહ (Amit Shah) ની જોડી દાયકાઓથી પેન્ડિંગ મુદ્દાઓને ચપટીમાં ઉકેલ લાવી દેશે.
IPFTના પ્રતિનિધિ મંડળે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, ત્રિપુરામાં CAB વિરુદ્ધ આંદોલન ખતમ
શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ પર નવો કાયદો બનાવીને મોદી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે 2024 સુધીમાં તેઓ પોતાના તમામ રાજકીય એજન્ડા પૂરા કરીને જ રહેશે. નાગરિકતા સંશોધન બિલ પર લોકસભામાં ચર્ચા દરમિયાન જ્યારે કોંગ્રેસે (Congress) સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવ્યાં તો ગૃહમંત્રી અમિત શાહે પોતે મોરચો સંભાળતા સ્પષ્ટ કરી દીધુ કે તેઓ દેશહિતના નિર્ણય લેતા રહેશે.
મોદી સરકારે દુષ્કર્મ જેવી ઘટનાઓમાં જલદી ન્યાય મળે તે માટે લીધો મોટો નિર્ણય
મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયો પાછળ સમન્વયનો ઈતિહાસ છે જે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે જોવા મળી રહ્યો છે. આ સમન્વયના દમ પર મોદી અને શાહની જોડીએ અશક્યને શક્ય કરી બતાવ્યું છે અને 2019ને નિર્ણયોની ક્રાંતિનું વર્ષ બનાવી દીધુ છે.
મોદી સરકારના ક્રાંતિકારી નિર્ણયો
1. શરણાર્થીઓ માટે નાગરિકતા સંશોધન બિલ
2. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370નો અંત
3. જમ્મુ અને કાશ્મી તથા લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યાં
4. ત્રિપલ તલાક વિરુદ્ધ સંસદમાં કાયદો બનાવ્યો
5. આતંક વિરુદ્ધ NIA અને UAPA કાયદો
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube