મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કેર યથાવત છે. રાજ્યમાં કોરોના પોઝિટિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ રવિવારે મહારાષ્ટ્ર પોલીસે જે આંકડા જાહેર કર્યાં છે, તે ચોંકાવનારા છે. રાજ્યમાં અત્યાર સુધી 786 પોલીસકર્મિઓ કોરોનાનો શિકાર બન્યા છે. તેમાંથી 76 લોકો સાજા થયા છે તો 7ના મૃત્યુ પણ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા જારી આંકડા પ્રમાણે, રાજ્યમાં 22 માર્ચ બાદ પોલીસકર્મિઓ પર હુમલાના 200 મામલા સામે આવ્યા, જેમાં 732 આરોપીઓની અત્યાર સુધી ધરપકડ થઈ ચુકી છે. તો આઈપીસીની કલમ 188 હેઠળ રાજ્યોમાં  1,01, 316 કેસ દાખલ કરવામાં આવ્યા છે અને 600 લોકોને ક્વોરેન્ટાઇનનો ભંગ કરતા (મુંબઈના આંકડા સામેલ નથી) પકડવામાં આવ્યા છે. કોવિડ-19 સાથે જોડાયેલા મામલાના સંબંધમાં આ દરમિયાન ડાયલ-100 પર 87,893 કોલ આવ્યા છે. 


Corona Virus: માત્ર 6 દિવસમાં 40થી 60 હજાર થયા કેસ, ડરાવી રહ્યો છે કોરોના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર