Corona:  ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાએ ફરી એકવાર પોતાના પગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેમ જેમ ઉનાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. ભારતમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત તમામ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં H3N2 ઇન્ફ્લૂએંજા સાથે જ COVID-19 ના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર જાહેર કરવામાં આંકડા અનુસાર દેશભરમાંથી ગત 24 કલાકમાં 918 કેસ નોંધાયા છે.  તબીબી નિષ્ણાતોની ચિંતા પણ વધી રહી છે. ફરી એકવાર લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ભીડભાડવાળા વિસ્તારોમાં લોકોએ પોતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.


આ પણ વાંચો:  ટીમ ઇન્ડીયાની હારના ગુનેગાર બન્યા આ 5 ખેલાડી, બીજી વનડે મેચમાં રહ્યા ફ્લોપ
આ પણ વાંચો:  કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી
આ પણ વાંચો:   અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે


દિલ્હીમાં રવિવારે 72 નવા કેસ સામે આવ્યા છે
રાજધાની દિલ્હીમાં 24 કલાકની અંદર કોવિડના 72 નવા કેસ નોંધાયા છે. આ સાથે, પોઝિટીવીટી રેટ વધીને 3.95 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એક તરફ દિલ્હીમાં H3N2 એન્ટિવાયરસની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. બીજી તરફ, શનિવારે કોરોનાની સકારાત્મકતા દર 3.52 ટકા હતો, જ્યારે શુક્રવારે તે 3.13 ટકા હતો. મહારાષ્ટ્રમાં રવિવારે 236 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં 52 કેસ નોંધાયા છે, આ સિવાય મુંબઈના થાણેમાં 33 નવા કેસ, મુંબઈ સર્કલમાં 109, પુણેમાં 69, નાસિકમાં 21 અને કોલ્હાપુર અને અકોલામાં 13-13 નવા કેસ સામે આવ્યા છે.


આ પણ વાંચો: મહત્વપૂર્ણ માહિતી: હેલ્મેટ પહેરવું પણ છે એક કળા, શું તમે જાણો છો સાચી રીત
આ પણ વાંચો: અમદાવાદી હોવ અને અહીંનો સ્વાદ ન માણ્યો હોય તો બધુ જ નકામું, ખાશો તો ખાતા રહી જશો
આ પણ વાંચો: અમદાવાદમાં રહો છો તો અહીં માણો 1 day પિકનિકની મજા, એ પણ નજીવા ખર્ચે


છેલ્લા 24 કલાકમાં આંકડો ઝડપથી વધ્યો 
છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જે આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 918 નવા કેસ નોંધાયા છે. આ સાથે સોમવારે સક્રિય કેસનો આંકડો 6350 પર પહોંચી ગયો છે. અને પોઝિટીવીટી રેટ વધીને 2.8% થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 92.03 કરોડ લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 44,225 ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 479 દર્દીઓ સાજા થયા છે. રવિવારે 129 દિવસ બાદ 1 દિવસમાં 1000થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધીને 5915 થઈ ગયા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના છે.


આ પણ વાંચો:  Gajkesari Rajyog: 22 માર્ચથી બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, આ રાશિઓને ચાંદી જ ચાંદી
આ પણ વાંચો:  Unique Temple:આ દિવસે ખુલે છે કુબેરની પોટલી, દર્શન કરતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ!
આ પણ વાંચો:  Palmistry: હાથની રેખા વડે જાણો કેટલું જીવશો, કમાશો અને બીજું ઘણું બધુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube