નવી દિલ્હીઃ દિલ્હીની AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)માં એક સફાઈકર્મીને સૌથી પહેલા કોરોનાની રસી લગાવવામાં આવી છે. આ સાથે તેઓ દેશના પ્રથમ વ્યક્તિ બની ગયા છે, જેને કોરોનાની પ્રથમ રસી લગાવવામાં આવી છે. આ તકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પણ હાજર રહ્યા હતા. એમ્સના ડાયરેક્ટરે પણ કોરોનાની રસી લગાવી છે. મહત્વનું છે કે કોરોના વેક્સિનને લઈને લોકોની વચ્ચે ખુબ અફવાઓ છે. તેવામાં એમ્સના ડાયરેક્ટર દ્વારા વેક્સિન લગાવવાથી લોકો વચ્ચે એક સકારાત્મક સંદેશ જશે અને લોકોની વચ્ચે વેક્સિનને લઈને ચાલી રહેલી અફવાઓ પર વિરામ લાગશે. આ સિવાય નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે પણ કોરોનાની રસી લગાવડાવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube