નવી દિલ્હી: કૃષિ કાયદા વિરુદ્ધ સતત 7માં દિવસે ખેડૂતોનું પ્રદર્શન દિલ્હી-હરિયાણા બોર્ડર પર ચાલુ છે. આ અગાઉ મંગળવારે ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં અને સરકારે ખેડૂતો પાસે જોગવાઈઓ પર લેખિતમાં આપત્તિઓ અને સૂચનો માંગ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કૃષિ કાયદા પર સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Farmers Protest: ખેડૂતો-સરકાર વચ્ચે બેઠકનું કોઈ પરિણામ નહીં, દિલ્હી બોર્ડર પર ખેડૂતો અડીખમ 


ખેડૂતોને વધુ બળ આપે છે કાયદો
કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર દ્વાલા લાગુ કરાયેલા નવા કૃષિ કાયદા જરાય ખેડૂતો વિરોધી નથી. ઉલ્ટું તે ખેડૂતોને વધુ બળ આપે છે. આ બિલ હેઠળ MSPનું સુરક્ષા જાળું તો બની જ રહેશે અને નવા વિકલ્પોને પણ જોડીશું જે ખેડૂતો પાસે છે. 


INDIA-CHINA STANDOFF: LAC પર કડકડતી ઠંડી સામે ચીની સૈનિકો પસ્ત, બચવા માટે કરી રહ્યા છે આ કામ


દિલ્હી-યુપી  બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધી
ખેડૂતોના પ્રદર્શનના 7માં દિવસે દિલ્હી-યુપી બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવા લાગી છે. યુપી ગેટ પર ગાજીપુર પાસે અલગ અલગ જિલ્લાઓમાંથી ખેડૂતો પહોંચી રહ્યા છે અને સતત ભીડ વધી રહી છે. આ અગાઉ મંગળવારે આંદોલન કરી રહેલા ખેડૂતો ઉગ્ર થયા હતા અને ટ્રેક્ટરથી દિલ્હી પોલીસની બેરિકેડ તોડી હતી આ બાજુ આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદ પણ મંગળવારે કાર્યકરો સાથે ધરણા સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતોને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube