પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ભાજપે આજે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણીમાં જે સાંસદો જીતીને આવ્યા છે તેઓ હવે સંસદની સદસ્યતા છોડશે. બુધવારે આવા 12 સાંસદોએ રાજીનામું આપ્યું છે. જો કે બે અન્ય સાંસદો બાબા બાલકનાથ અને રેણુકા સિંહ આજે આવ્યા નહતા આથી તેમના રાજીનામા સોંપી શકાયા નથી. ભાજપના સૂત્રોના જણાવ્યાં મુજબ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના નેતૃત્વ હેઠળ આ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પીએમ મોદી, લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન સાથે મુલાકાત કરી હતી. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube