Ernakulam Blast Reason: કેરળ (Kerala) ગઈકાલે પણ હેડલાઇન્સમાં હતું અને આજે પણ કેરળ સમાચારોમાં છે. શનિવારે કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈન (Palestine)ના સમર્થનમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં હમાસ (Hamas) ના નેતા ખાલેદ મિશેલે પણ ભાષણ આપ્યું હતું અને આજે એર્નાકુલમ (Ernakulam) ના કલામસેરી વિસ્તારમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ પાછળ શું કાવતરું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કરતા વધુ ધડાકા સંભળાયા હતા. તેથી NIA અને IBની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે વિસ્ફોટોની તપાસ NIA હાથમાં લઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે બ્લાસ્ટમાં 1 સ્થાનિક નાગરિકનું મોત થયું છે. તેમજ વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટ્રોકથી દર 4 મિનિટે એક ભારતીય નું મૃત્યુ થાય છે, સ્ટ્રોકથી બચવા આટલું રાખો ધ્યાન
IND vs ENG : શું 20 વર્ષનો ઇતિહાસ બદલી શકશે ટીમ ઇન્ડીયા? લખનઉમાં ઇગ્લેંડ સામે ટક્કર


શું આ આતંકવાદી હુમલો હતો?
વિસ્ફોટ બાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે ડીજીપી આ બાબતથી વાકેફ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. શું આ આતંકવાદી હુમલો હતો, તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ ઉપરાંત અનેક મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોની સારવાર ચાલુ છે. કેટલાકની હાલત નાજુક છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ વિસ્ફોટને લઈને સીએમ વિજયન સાથે વાત કરી છે.


ફક્ત 1 મહીના સુધી ચોખાના પાણીથી ધોવો વાળ, 5 સમસ્યાઓ થશે દૂર, જુઓ કમાલ
Vastu Plants: ધનનો નાશ કરે છે આ અશુભ છોડ, ભૂલથી પણ ઘરે લગાવશો નહી, અટકી જશે પ્રગતિ
Wash Tips: પાણી વિના પણ ધોઇ શકો છો ગંદા વાસણો, ટ્રાય કરો આ ટ્રિક્સ, 2 મિનિટમાં ચમકી જશે


હમાસ નેતાના ભાષણ પર હોબાળો
કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભાને હમાસના નેતા અને ભૂતપૂર્વ ચીફ ખાલેદ મિશેલે ઓનલાઈન સંબોધિત કરી હતી. જે બાદ કેરળ ભાજપે રાજ્યની પિનરાઈ વિજયન સરકાર પર નિશાન સાધ્યું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે હમાસ જેવા આતંકવાદી સંગઠનના નેતાને જાહેરસભામાં શા માટે મહિમા આપવામાં આવ્યો? આ સિવાય સોલિડેરિટી યુથ મૂવમેન્ટ (Solidarity Youth Movement) દ્વારા ગાઝા પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઈનના સમર્થનમાં મલપ્પુરમમાં રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.


Lucky Girls Zodiac: લગ્ન પછી પતિ માટે કુબેરનો ખજાનો સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, હાથમાંથી ખરે છે રૂપિયા!
શિયાળામાં નજીવું આવશે લાઇટ બિલ! બસ ગીઝર ચલાવવા માટે અપનાવો આ Secret Trick
જાણી લો તે આદતો, જે પતિ-પત્નિના સંબંધોમાં લાવી શકે છે દરાર


કોઝિકોડમાં પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી
કેરળ ભાજપે 26 ઓક્ટોબરે કોઝિકોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની રેલીની પણ ટીકા કરી હતી. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની રેલીમાં સામેલ થવા પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા હતા. રેલી પછી, IUML ના રાષ્ટ્રીય મહાસચિવ પીકે કુન્હાલીકુટ્ટીએ કહ્યું કે રેલી ખૂબ જ સફળ રહી. પેલેસ્ટાઈનના સમર્થનમાં કાલિકટ (કોઝિકોડ)માં લાખો લોકો એકઠા થયા. તે જ સમયે ભાજપે આરોપ લગાવ્યો કે IUMLની રેલી હમાસના સમર્થનમાં હતી.


20 હજાર રૂપિયાથી પણ સસ્તો મળી રહ્યો છે iPhone 14! આ શરત પુરી કરશો તો ફોન થઇ જશે તમારો
મંદીનું વાવાઝોડું પણ આ શેરનો વાળ વાંકો ન કરી શક્યુ: 10 દિવસમાં રોકાણકારોના પૈસા ડબલ
ફક્ત 23 વર્ષની ઉંમરમાં બની IFS ઓફિસર, પહેલાં જ પ્રયત્નમાં ક્રેક કરી દીધી UPSC Exam


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube