શ્રીનગર: બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરના LG જીસી મુર્મૂએ બાબા બર્ફાનીની પૂજા કરી. આ બધા વચ્ચે બાબા બર્ફાનીની પહેલી તસવીર પણ સામે આવી છે. આ ઉપરાંત આ વખતે બાબા બર્ફાની પોતે તમને દર્શન આપવા આવી રહ્યાં છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરનાથ યાત્રાને લઈને પ્રશાસને તૈયારીઓમાં ઝડપ કરી છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના જણાવ્યાં મુજબ...


- 500 શ્રદ્ધાળુઓને એક દિવસમાં ગુફા સુધી જવાની મંજૂરી મળશે.
- બહારથી આવનારા શ્રદ્ધાળુઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે. 
- જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે.
- 55 વર્ષથી ઓછી ઉંમરના ભક્તોને જ મંજૂરી આપવા પર વિચારણા થઈ રહી છે. 
- હેલિકોપ્ટરના બુકિંગને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી. 
-ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા થઈ શકે છે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube