રક્ષામંત્રી રાજનાથ સિંહની મોટી જાહેરાત, રક્ષા ક્ષેત્રે 101 items ની આયાત પર પ્રતિબંધ
રક્ષા મંત્રાલયે આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાની તૈયારી કરી લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે મંત્રાલયે 101 આઈટમ્સની યાદી તૈયાર કરી લીધી છે. જેની આયાત પર રોક લાગશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે.
નવી દિલ્હી: પાડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતે રક્ષા ક્ષેત્રમાં 101 આઈટમ્સની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિંહે રક્ષા ક્ષેત્રમાં લેવાયેલા નિર્ણયો સંબંધિત અનેક ટ્વિટ કરી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને રક્ષા ક્ષેત્રમાં ઉત્પાદનને વધારશે. રક્ષા ક્ષેત્રના આ 101 ઉપકરણો ભારતમાં જ બનાવવામાં આવશે. ઘરેલુ કંપનીઓ પાસેથી 52 હજાર કરોડની રક્ષા ખરીદી કરાશે. આ યાદીમાં સામાન્ય પાર્ટ્સ સિવાય કેટલીક હાઈ ટેક્નોલોજી વેપન સિસ્ટમ પણ સામેલ છે. સિંહના જણાવ્યાં મુજબ આ પગલું રક્ષાક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ લેવાયો છે. આ નિર્ણયથી ભારતની ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને મોટા પાયે ઉત્પાદનની તક મળશે.
શું ભારત અને ચીન ફરીથી મિત્ર બનશે? વિદેશમંત્રી એસ.જયશંકરે આપ્યો આ જવાબ
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube