નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, ભાજપ બંગાળમાં એનઆરસીને લાગુ કરશે. અમિત શાહે કહ્યું કે, બૌદ્ધ, હિંદુ, જૈન અને શીખ શરણાર્થીઓને છોડીને દરેક ઘુસણખોરને દેશની બહાર તગેડી મુકવામાં આવશે. અમિત શાહે કહ્યું કે, અસમની જેમ જ બંગાળમાં પણ અમે એનઆરસી લાવવાનાં છીએ. મમતાજીમાં જેટલી શક્તિ છે અટકાવી દો, એનઆરસી મોદીજી લઇને આવશે અને દરેકે દરેક ઘુસણખોરને બંગાળની ખાડીમાં નાખી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીનું સમર્થન કરી રહેલું પાકિસ્તાન ઇચ્છે છે ભારતમાં તોફાનો થાય: કેજરીવાલ

બાંગ્લાદેશ, પાકિસ્તાન અથવા ક્યાંયથી પણ જે હિંદુ, બૌદ્ધ, જૈન અને શીખ શરણાર્થી ભારત આવ્યા છે તેમને અમે નથી કાઢવાનાં, જે શરણાર્થી આવ્યા છે તે અમારા ભાઇ છે અને ત્યાંથી પરેશાન થઇને આવ્યા છે, તેમને નાગરિકતા આપીને પોતાનો સગો ભાઇ બનાવીને ભારતમાં વસવા માટેની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરશે. 


લોકસભા 2019: પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ, ત્રિપુરા- બંગાળનું વોટિંગ 80% પાર


કોંગ્રેસે તુગલક રોડ ચૂંટણી ગોટાળો કર્યો, MPને બનાવ્યું ATM : આસામમાં PM મોદી


બીજી તરફ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, પાકિસ્તાન અને ઇમરાન ખાન પણ એવું ઇચ્છે છે કે હિન્દુસ્તાનમાં તોફાનો ફેલાઇ ગયા હતા. એટલા માટે પાકિસ્તાન ખુલીને મોદીજીને ફરી PM બનાવવા માટે દરેક પ્રકારની મદદ કરી રહ્યું છે. જે કામ પાકિસ્તાન 70 વર્ષમાં નથી કરી શક્યું, તેનાં દોસ્ત મોદીજીએ પાંચ વર્ષમાં કરી દીધું- હિન્દુસ્તાનનો ભાઇચારો ખરાબ કરી દીધો.