કોંગ્રેસે તુગલક રોડ ચૂંટણી ગોટાળો કર્યો, MPને બનાવ્યું ATM : આસામમાં PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નામદારી પરિવાર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે અને તેનાં જીવનનું માધ્યમ ભ્રષ્ટાચાર બની ગયો છે

કોંગ્રેસે તુગલક રોડ ચૂંટણી ગોટાળો કર્યો, MPને બનાવ્યું ATM : આસામમાં PM મોદી

કોંદુકોના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસનું તુગલક રોડનો ચૂંટણી ગોટાળો સામે આવ્યો છે. તેમણે એક રેલીમાં કહ્યું કે, નવા ગોટાળામાં ગરીબ બાળકો અને ગર્ભવતી મહિલાઓનાં પોષણ માટે અપાયેલા કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં જુના કેસો હજી પણ ચાલી રહ્યા છે. 

વડાપ્રધાને કહ્યું કે, નામદાર પરિવાર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે અને તેને જીવનનું માધ્યમ બની ચુક્યો છે જેના માટે તેનાં સભ્યો હજી પણ જામીન પર છે પરંતુ તેઓ કહે છે કે ચોકીદાર ચોર છે. 

ગત્ત દિવસોમાં કરોડો રૂપિયાનો ખેલ થયો
વડાપ્રધાન મોદીએ કોઇનું નામ લીધા વગર કહ્યું કે, દિલ્હીમાં તુગલક રોડ છે અને ત્યાં એક બંગલામાં મોટા નેતા રહે છે. ગત્ત થોડા દિવસો દરમિયાન કરોડો રૂપિયાનો ખેલ થયો. આ બંગલા સાતે જોડાયેલા લોકો પાસેથી બોરિઓમાં ભરેલા રૂપિયા મળી આવ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ તુગલક રોડ ચૂંટણી ગોટાળો છે અને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ તેમા સંડોવાયેલી છે. જો તેઓ લૂંટશે નહી તો ચૂંટણી કઇ રીતે લડી શકશે. 

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાષ્ટ્રીય રાજધાની તુગલક રોડ પર એક બંગલો ખરીદ્યો અને તેમનાં પૂર્વ અંગત સચિવ પ્રવિણ કક્કડનાં ઘર ઇંદોર અને પૂર્વ સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીનાં ઘરમાં છે જ્યાં સાત એપ્રીલના રોજ આવકવેરા અધિકારીએ કથિત રીતે હવાલા મુદ્દે દરોડા પાડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news