પ્રશાંતકુમાર, મુંગેર: બિહાર (Bihar) ના મુંગેરમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિકમાં થયેલી ઝડપનો મામલો શાંત થવાનું નામ લેતો નથી. આ ઘટના બાદ આક્રોશિત લોકોએ આજે ઉગ્ર વલણ અપનાવી લીધુ અને એસી લિપી સિંહ અને એસડીઓના કાર્યાલયમાં ખુબ તોડફોડ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસ: CBI એ રિયાના દાવાની ધૂળ કાઢી, મુંબઈ પોલીસની પણ ઝાટકણી કાઢતા કહ્યું કે...


આક્રોશિત લોકોએ પુરબસરાય ગાડી અને પોલીસવાહનમાં આગચંપી કરી તથા પોલીસ સ્ટેશને પણ પથ્થરમારો કર્યો છે. હકીકતમાં મુંગેરમાં લોકો સતત કાર્યવાહીની માગણી કરી રહ્યા છે અને હજુ સુધી દોષિતો પર કોઈ કાર્યવાહી ન થવાના કારણે નારાજ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. 


કોરોના વેક્સીનને લઈને પ્રધાનમંત્રી મોદીએ કરી મોટી જાહેરાત


આ બાજુ ગૃહ અપર મુખ્ય સચિવ આમિર સુબહાની મુંગેર મામલે મીડિયા સાથે વાતચીત કરતા બચતા જોવા મળ્યા. સમગ્ર મામલે આજે પટણામાં પોલીસ અધિકારીઓની હાઈ લેવલ મિટિંગ બોલાવવામાં આવી છે. અત્રે જણાવવાનું કે સોમવારે મોડી રાતે બિહારના મુંગેર જિલ્લામાં મૂર્તિ વિસર્જન દરમિયાન પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું. 


Corona Update: ભારતમાં કોરોનાના દર્દીઓ 80 લાખને પાર, જો કે સતત વધી રહ્યો છે રિકવરી રેટ


આ દરમિયાન થયેલી હિંસામાં એક યુવકનું મોત થયું. આ સાથે જ પોલીસના લગભગ બે ડઝન જેટલા જવાનો પથ્થરબાજી અને ફાયરિંગની ઝપેટમાં આવી જવાથી ઘાયલ થયા. નોંધનીય છે કે જિલ્લાના એસપી લીપિ સિંહ અને ડીએમ રાજેશ મીણાએ અધિકૃત નિવેદનમાં આ ઘટના માટે અસામાજિક તત્વોને જવાબદારી ઠેરવ્યા હતાં. 


ભારતે રાષ્ટ્રપતિ Emmanuel Macron ને ફૂલ સપોર્ટ જાહેર કર્યો, ફ્રાન્સે ગદગદ થઈને જાણો શું કહ્યું?


એસપીએ આ ઘટના અંગે કહ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો તરફથી હિંસા થઈ જેમાં અનેક  જવાનો ઘાયલ થયા અને પોલીસ સ્ટેશન ઈનચાર્જનું માથું ફાટી ગયું છે. ત્યારબાદ તેમના તરફથી થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું અને એક વ્યક્તિ ઘાયલ થયો.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube