ન્યૂયોર્ક: કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રવિવારે સંકેત આપ્યા કે ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની ન્યૂનતમ મદદની રકમ ભવિષ્યમાં વધારી પણ શકાય છે. નાણા મંત્રી પીયૂષ ગોયલે 2019-20ના વચગાળાના બજેટમાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા ન્યૂનતમ મદદ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતોને આ રકમ 3 હપ્તામાં આપવામાં આવશે. માસિક જોવા જઈએ તો 500 રૂપિયા દર મહિને ખેડૂતને મદદ મળે. જેટલીએ કહ્યું કે સરકારના સંસાધન વધશે જેનાથી ભવિષ્યમાં ખેડૂતોને અપાનારી આ વાર્ષિક મદદને વધારી શકાય તેમ છે. તેમણે કહ્યું કે રાજ્ય આ મદદ ઉપરાંત પોતાની રીતે આવક સમર્થન યોજનાઓની જાહેરાત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ યોજનાની આલોચના બદલ તેમને આડે હાથ લીધા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર ખેડૂતોને પ્રતિદિન 17 રૂપિયા આપીને તેમનું અપમાન કરી રહી છે. જેટલીએ કહ્યું કે વિપક્ષના નેતાએ 'પરિપકવ હોવું જોઈએ'. અને તેમને સમજવું જોઈએ કે તેઓ કોઈ કોલેજ યુનિયનની ચૂંટણી નહીં પરંતુ રાષ્ટ્રીય ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. 


જમ્મુ: પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- 'એ કયો પંજો હતો, જે ખજાનો ખાલી કરી ગયો'


જેટલીએ પીટીઆઈ ભાષાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે 12 કરોડ નાના અને સીમાન્ત ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત સરકારની યોજના તેમને ઘર આપવાની, સબસિડી પર અનાજ આપવાની, મફત સારવાર સુવિધા, મફત સાફસફાઈની સુવિધા આપવાની, વીજળી, રસ્તા, ગેસ કનેક્શન આપવાની યોજના તથા બમણું કરજ સસ્તા દરે આપવા જેવી યોજનાઓ ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માટેની છે. 


તેમણે કહ્યું કે ખેડૂતોને ન્યૂનતમ આવક સમર્થન આપવાનું આ પહેલું વર્ષ છે. મને ભરોસો છે કે સરકારના સંસાધન વધવાની સાથે આ રકમને પણ વધારી શકાય છે. લગભગ 15 કરોડ જમીન વગરના ખેડૂતોને આ યોજનામાં સામેલ નહીં કરવા અંગે જેટલીએ કહ્યું કે તેમના માટે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા અને અન્ય અનેક લાભ  છે. 


લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું- 'તમારા આશીર્વાદ મળશે તો લોકાર્પણ હું જ કરીશ'


તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી એનડીએ સરકાર કયું સૌથી મોટું કામ કરવાનો દાવો કરે છે? પી. ચિદમ્બરમે 70,000 કરોડ રૂપિયાના કૃષિ ઋણમાફીની જાહેરાત કરી હતી. પરંતુ વાસ્તવમાં ફક્ત 52,000 કરોડ રૂપિયા અપાયા. કેગે પણ કહ્યું છે કે તેમાંથી એક મોટી રકમ વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓને જતી રહી. આ એક પ્રકારનું ફ્રોડ છે. 


જેટલીએ કહ્યું કે હાલની સરકારે ગ્રામીણ વિસ્તારોમાં જે લાખો કરોડો રૂપિયા લગાવ્યાં છે તે રકમ તેના કરતા વધુ છે. અમે 75,000 કરોડ રૂપિયા વાર્ષિકથી શરૂઆત કરી છે. મને લાગે છે કે આગામી વર્ષોમાં તેમાં વધારો થશે. જો રાજ્ય પણ તેમા જોડાય તો આ રકમ વધશે. કેટલાક રાજ્યોએ આ અંગે યોજના શરૂ કરી છે. મને લાગે છે કે હજુ વધુ રાજ્યો તે રસ્તે ચાલશે. જેટલી અમેરિકા સારવાર માટે આવ્યાં છે. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ દૂર કરવાની જવાબદારી રાજ્યોની પણ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...