નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યારે અત્યંત નાજૂક સ્થિતિમાં પહોચી ગઈ છે અને દિલ્હી એઈમ્સના ડોક્ટરો તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. એઈમ્સના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં રહેલા અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા-એરોટિક બલૂન પમ્પ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 


લતા મંગેશકરને તેમના ઘરે મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ટ્વીટ કરીને જણાવી આ વાત 


મે, 2018માં અરૂણ જેટલીએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. ત્યાર પછી તેમને ડાબા પગમાં સોફ્ટ ટિશ્યુ કેન્સર થયું હતું, જેની સર્જરી માટે તેઓ ચાલુ વર્ષના પ્રારંભમાં અમેરિકા પણ ગયા હતા. તબિયત ખરાબ થવાના કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડી ન હતી અને સાથે જ મંત્રીમંડળમાં જોડાવાનો પણ તેમણે ઈનકાર કરી દીધો હતો. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...