નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં સોનિયા ગાંધી (Sonia Gandhi)ના પાર્ટીના અધ્યક્ષનું પદ છોડવાની વાત કહ્યા બાદ કોંગ્રેસ (Congress)માં ઘમાસાણ મચ્યું છે. સૂત્રોના અનુસાર કેરલના વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સોનિયા ગાંધીને પત્ર લખવાની ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યા છે અને આમ કરનાર નેતાઓ વચ્ચે ભાજપ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો છે. સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખનાર 23 નેતાઓમાં ગુલાબ નબી આઝાદ પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુલાબ નબી આઝાદે તેમને ભાજપના સાથી કહેવા પર નારાજગી વ્યક્ત કરી છે. ગુલાબ નબી આઝાદે કહ્યું કે 'આ સૌથી દુર્ભાગ્યપૂર્ણ છે. અમારા કેટલાક સાથીઓએ કહ્યું કે લેટર ભાજપના ઇશારે મોકલવામાં આવ્યો હતો. જોકે ગુલાબ નબી આઝાદે આ વાતનું ખંડન કર્યું છે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને લેટર મોકલનાર નેતાઓની ભાજપ સાથે મિલીભગત હોવાની વાત કહી છે. 

કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ રહેશે સોનિયા ગાંધી, CWC ની બેઠકમાં બની સહમતિ


આ અવસર પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે 'ગુલાબ નબી આઝાદ અમને લોકોને ભાજપની 'B' ટીમ કહેતા હતા. હવે તેમની પાર્ટીના પૂર્વ અધ્યક્ષ કહી રહ્યા છે કે તેમણે ચિઠ્ઠી લખીને ભાજપ સાથે મિલીભગત કરી છે. કોંગ્રેસમાં પોતાનો ખરાબ હોવાના કારણે મુસ્લિમ નેતાઓને વિચારવું જોઇએ કે આખરે ક્યાં સુધી તે કોંગ્રેસ લીડરશિપની ગુલામી કરતા રહેશે.'


કહેવામાં આવી રહ્યું છે કે CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે સોનિયા ગાંધી હોસ્પિટલમાં હતા અને રાજસ્થાનમાં સરકાર સંકટમાં હતી ત્યારે આ પત્ર લખવાનો શું મતલબ હતો. તેનો સીધો ફાયદો ભાજપને પહોંચાડવાનો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube