નવી દિલ્હીઃ અસમ અને મેઘાલય વચ્ચે 50 વર્ષથી ચાલી રહેલા જમીન વિવાદનો આજે ઉકેલ આવી ગયો છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં સમજુતી પર સહી કરી છે. અસમ અને મેઘાલય વચ્ચે 12 જગ્યા પર સરહદ વિવાદ છે. પ્રથમ તબક્કામાં 6 વિવાદીત ક્ષેત્રોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જ્યારે બીજા તબક્કામાં અન્ય છ જગ્યાઓ પર જલદી હસ્તાક્ષર થશે. અમિત શાહે આ સમજુતીને ઐતિહાસિક ગણાવી છે. 


ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, 'આજનો દિવસ એક વિવાદ મુક્ત પૂર્વોત્તર માટે ઐતિહાસિક દિવસ છે, દેશમાં જ્યારથી મોદી જી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી પૂર્વોત્તરની શાંતિ પ્રક્રિયા, વિકાસ, સમૃદ્ધિ અને ત્યાંના સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે અનેક પ્રયાસો કર્યા છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube